મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર પાસે આઇટીઆઇમાંથી ૪૮૦૦૦ ના મુદામાલની ચોરી


SHARE















મોરબી માળીયા હાઈવે ઉપર આવેલ ભરતનગર ગામ પાસે આઇટીઆઇને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ત્યાંના ટ્રેડમાંથી જુદી જુદી ચીજવસ્તુઓ અને સાદન સામગ્રી મળીને ૪૮ હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને તેના કર્મચારી દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે જરૂરી છે 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે ટંકારાના ગાયત્રીનગરમાં રહેતા અને આઈટીઆઇમાં ફરજ બજાવતા પ્રભુભાઈ સુંદરજીભાઈ ઘેટીયા જાતે પટેલ (ઉંમર ૫૭) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે મોરબીના ભરતનગર ગામ પાસે આઇટીઆઇ આવેલ છે જેના વર્કશોપમાંથી જુદી જુદી વસ્તુઓની ચોરી કરવામાં આવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે ફીટર અને ટર્નર રૂમના તાળાં તોડીને તેમાં પ્રવેશ કરીને અજાણ્યા શખ્સ દ્વારા ત્યા રાખવામાં આવેલ અલગ અલગ ચીજ વસ્તુઓ તેમજ સાધનસામગ્રી મળીને ૪૮ હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે જેથી કરીને પોલીસે ચોરીની ફરીયાદ નોંધીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News