મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીને મહાપાલિકાનો દરજ્જો અપાવવા કલેક્ટર-ધારાસભ્યની હાજરીમાં સરપંચો સાથે બેઠક યોજાઇ


SHARE







મોરબીને મહાપાલિકાનો દરજ્જો અપાવવા કલેક્ટર-ધારાસભ્યની હાજરીમાં સરપંચો સાથે બેઠક યોજાઇ

મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો અપાવવા બાબતે સરકાર વિચારણા કરી રહી છે ત્યારે મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને તથા ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની હાજરીમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જુદાજુદા ૧૦ ગામના સરપંચોની સાથે બેઠક યોજાઈ હતી જેમાં ખાસ કરીને મોરબીને મહાપાલિકાનો દરજ્જો આપવામાં આવે તો લોકોની સુખ સુવિધામાં શું વધારો થશે તેની માહિતી આપવામાં આવી હતી

આ બેઠકમાં કલેક્ટરએ જણાવ્યું હતું કેમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મોરબી જિલ્લાની તાજેતરની મુલાકાત દરમિયાન તેમની સાથે જિલ્લાના પદાધિકારીઓએ મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો અપાવવા તથા મવુડા અમલી કરવા રજૂઆત કરી હતી. જે અન્વયે સરકાર સમક્ષ રજૂઆત કરવાની થાય છે. અને સરપંચઓને તેમણે જણાવ્યું હતું કેમોરબીના વિકાસ માટે મહાનગરપાલિકા બનાવવી અને મવુડાનો અમલ ખૂબ જરૂરી છે. શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારી શકાય અને આસપાસના વિસ્તારોને વિવિધ ગ્રાન્ટ મળવાપાત્ર બને તે માટે મોરબી મહાનગરપાલિકામાં તેમજ મવુડામાં કયા કયા ગામનો સમાવેશ કરવો તે અંગે સરપંચ સરપંચઓના અભિપ્રાય મેળવ્યા હતા.

ત્યારે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાએ પણ મોરબીમાં સફાઈના પ્રશ્નોસ્ટાફના પ્રશ્નો તેમજ અનેક અદ્યતન સુવિધાઓ અને ભવિષ્યના લાંબા આયોજન માટે મહાનગરપાલિકા તેમજ મવુડાના અમલીકરણ માટે હકારાત્મક વલણ અપનાવવા જણાવ્યું હતું આ બેઠકમાં ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સરપંચઓને સંબોધીને જણાવ્યું હતું કેભવિષ્યની પેઢીની સુખ સગવડ માટે તેમજ મોરબીની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ઓથોરિટી ખૂબ જરૂરી છે. મોરબીમાં રીંગરોડ બને તો ટ્રાફિક સમસ્યા ઉકેલી શકાય. પ્રજાના હિત માટે આ પ્રયાસને પ્રોત્સાહન આપવા અને સૌને સહારા પ્રયાસો કરવા તેમણે સૌને અપીલ કરી હતી.

આસપાસના ગામમાંથી આવેલા સરપંચઓએ મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તથા મવુડાના અમલીકરણ માટે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને જણાવ્યું હતું કેઆગામી ગ્રામસભામાં મહાનગરપાલિકા તેમજ મવુડાથી ગ્રામીણ વિસ્તારોને થનાર લાભો વિશે ગ્રામજનોને વાકેફ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે. આ તકે પ્રેસેન્ટેશન દ્વારા સમગ્ર આયોજન અંગે સરપંચઓને માહિતી આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાજિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાટંકારા પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયામોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલાડેપ્યુટી કલેક્ટર ડી.સી.પરમાર તથા વિવિધ ગામના સરપંચઓ અને તલાટી-મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા






Latest News