મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વાંકાનેરમાં પરિણીતાના આપઘાતના બનાવમાં પતિને સાત વર્ષને સજા


SHARE







મોરબી જિલ્લાના વાંકાનેરમાં પરિણીતાના આપઘાતના બનાવમાં પતિને સાત વર્ષને સજા

મોરબી જિલ્લાના વાંકાનેરમાં પરણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ હતો જેની ફરિયાદ નોંધાઈ હતી અને તે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં મૃતક મહિલાના પતિને કોર્ટે સાત વર્ષની સજા ફટકારી છે અને તેના મૃત્યુ પામેલા જેઠને એબેટ કરી જેઠાણી તેમજ જેઠાણીની દીકરીને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડવા મૂકવામાં આવેલ છે

આ કેસની મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના વડિયાના નીતાબેન ગણાત્રાના લગ્ન વર્ષ ૧૯૯૩ માં વાંકાનેરમાં રહેતા રાજુભાઈ ચુનીભાઈ રાજવીર સાથે થાય હતા અને અવાર નવાર પતિ રાજુભાઈ, જેઠ રસિકભાઈ, જેઠાણી જસ્મીનબેન તથા જેઠની દીકરી પૂજા નાની નાની વાતમાં મેણાં ટોણાં મારતા હતા અને ત્રાસ આપતા હતા અને નીતાબેનના પતિ રાજેશભાઈને વાડીમાં કામ કરતી મહિલા તેમજ જેઠાણી જસ્મીતાબેન સાથે આડા સંબંધો હોવાની જાણ થઈ હતી જેથી તેને ત્રાસ આપવામાં આવતો હતો જેથી તે તેના માવતરે જતાં રહ્યા હતા જો કે, ત્યાર બાદ તેના પતિ, જેઠ અને સમાજના આગેવના તેઓના ઘરે આવ્યા હતા અને સારું થઈ જશે તેવી આશા સાથે તેને સાસરે મોકલવામાં આવ્યા હતા અને ફરી તેને ત્રાસ આપવામાં આવતા નિતાબેને ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને પતિ સહિતનાઓની સામે ફરિયાદ નોંધાઈ હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો ત્યારે મોરબીના સરકારી વકીલ સંજયભાઇ દવેએ મૌખિક ૧૮ અને દસ્તાવેજી ૫૦ પુરાવા રજૂ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી પતિ રાજુભાઈ ચુનીભાઈ રાજવીરને સાત વર્ષની સજા ફટકારી છે જો કે, આરોપી જેઠ રસિક ચુનીલાલ રાજવીરનું કેસ ચાલુ હતો દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું અને જેઠાણી જાસ્મીન તેમજ તેની દીકરી પૂજાને કોર્ટે શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મુકેલ છે






Latest News