મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

માળીયા (મી) દેવ સોલ્ટ વાળા દેવેન્દ્રસિંહજી ઝાલા વેદ સંસ્કૃત જ્ઞાનગૌરવ સમાંરભમાં હાજર રહ્યા


SHARE







માળીયા (મી) દેવ સોલ્ટ વાળા દેવેન્દ્રસિંહજી ઝાલા વેદ સંસ્કૃત જ્ઞાનગૌરવ સમાંરભમાં હાજર રહ્યા

ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદતત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ, મુડેટી દ્વારા યોગિત વેદ સંસ્કૃત જ્ઞાનગૌરવ સમાંરભ મુ. મુડેટી તા. ઇડર, જી. સાબરકાંઠા (ઉ.ગુ.) માં આયોજન કરવામાં આવયુ હતું. આ કાર્યક્રમના આયોજન સંસ્કૃત ભાષાને પ્રોત્સાહિત કરવાના હેતુ સંસ્કૃત વિધવાન અને ઉ.ગુજરાત સ્થિત સંસ્કૃત પાઠશાળા તથા નજીક સ્થિત માધ્યમિક, ઉ. માધ્યમિક તથા મહાવિધાલયના છાત્રો દ્વારા સંસ્કૃત વિષયમાં વિશેષ શ્રેણી (૨૦૨૨) પ્રાપ્તકર્તાઓ નું સન્માન કરાયું હતુ આ કાર્યક્રમનું નિર્માણ નિરંજનભાઈ શુક્લ (અધયક્ષ, બી.એ (મુંબઈ), ડી.એમ.એસ.એમ., જ્યોતિષભૂષણ, જ્યોતિષવિશારદ, સ્પીરીચ્યુયલ એડવાયસર) દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મેહમાન મોહનજી ભાગવત (સરસંઘચાલક, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) હતા, અને અતિથી વિશેષમાં ડો. ભરતભાઈ પટેલ (પ્રાંત સંચાલક, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત), ઉદયસિંહજી માહુરકર (સેન્ટ્રલ ઇન્ફોરમેસન કમીશ્નાર), દેવેન્દ્રસિંહજી ઝાલા (ચેરમેન, દેવ સોલ્ટ પ્રા.લી.), જયંતભાઇ પારેખ (રીયલ એસ્ટેટ ડેવલોપર), ઉશિક ગાલા (ચેરમેન, શુમાયા ઉધોગ લી.), ઉત્તમભાઇ દવે (આઇટી પ્રોફેશનલ) અને દેવાંગભાઇ શાહ (રીયલ એસ્ટેટ ડેવલોપર) હતા આ કાર્યક્રમમાં દેવેન્દ્રસિંહજી ઝાલા અતિથી વિશેષ તરીકે મંચસ્ત હાજર રહ્યા હતા. દર વર્ષે દેવેન્દ્રસિંહજી ઝાલા તેમની વર્ષ ગાંઠ ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદતત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ, મુડેટી ખાતે ઉજવે છે ત્યાંના છાત્રો સાથે ભોજન કરે છે અને એક સાથે ૧૦૦ જેટલા મંત્રોનો ઉચ્ચારણ કરે છે.






Latest News