મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં શાકમાર્કેટમાંથી સોમવાર સુધીમાં ગટર-ગંદકી સાફ ન થાય તો ચક્કાજામ કરવાની વેપારીઓની ચીમકી


SHARE







મોરબીમાં શાકમાર્કેટમાંથી સોમવાર સુધીમાં ગટર-ગંદકી સાફ ન થાય તો ચક્કાજામ કરવાની વેપારીઓની ચીમકી

મોરબી શહેરમાં પડેલા નજીવા વરસાદમાં શાકમાર્કેટની અંદરના ભાગમાં વરસાદી પાણી અને ગટરનું પાણી ભરાઈ છે અને માર્કેટ પાછળના ભાગમાં લોહાણપરામાં ગંદકીના થર જામી જાય છે જેથી વેપારીઓ અને ત્યાં માલ લેવા માટે આવતા ગ્રાહકોના આરોગ્ય ઉપર જોખમ ઊભું થાય છે તો પણ સફાઈ કરવામાં આવતી નથી જેથી કરીને સ્થાનિક વેપારીઓએ પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવીને સોમવાર સુધીનું અલટીમેટ્મ આપ્યું છે અને જો ત્યાં સુધીમાં નક્કર કામ નહિ કરવામાં આવે તો નેહરૂ ગેઇટ ચોકમાં ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે

મોરબી શહેરના વેપારીઓને પણ પાલિકા પાસે પ્રાથમિક સુવિધાની અપેક્ષા છે જો કે, તે પૂરી થતી નથી અને માર્કેટના વેપારીઓ તેમજ ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડે છે જેથી કરીને મોરબી શાકમાર્કેટના વેપારીઓએ પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવીને સોમવાર સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે જો સોમવાર સુધીમાં માર્કેટ અને લોહાણાપરા વિસ્તારમાંથી ગટર, ગારો કીચડ અને ગંદકી દૂર કરવામાં નહીં આવે તો મોરબી શકમાર્કેટના વેપારીઓ પાસે બીજો કોઈ વિકલ્પ  છે નહીં અને વેપારીઓ દ્વારા નેહરૂ ગેઇટ ચોકમાં ચક્કાજામ કરવામાં આવશે 






Latest News