મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓને કિટનું વિતરણ કરાયું


SHARE













મોરબીમાં પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓને કિટનું વિતરણ કરાયું

ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨  “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા  યોજના-૨.૦” અંતર્ગત સમગ્ર દેશમાં એક કરોડ ગેસ કનેકશન વિતરણ માટે જાહેરાત કરાયેલ છે. જે અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા તા.૧૦/૮ ના રોજ સમગ્ર દેશમાં “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના-૨.૦” નું અમલીકરણ શરૂ કરાયેલ છે. જેના લાભાર્થીઓને આજે ગેસ કનેકશન આપવામાં આવ્યા હતા

રાજ્ય સરકાર દ્વારા “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના-૨.૦” અંતર્ગત સમગ્ર રાજ્યને “કેરોસીન મુકત” કરાવવા માટે રાજ્યના બાકી રહેતા ૧૦ લાખ જેટલા લાભાર્થીઓને ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ગેસ કનેકશન આપવા માટે લક્ષ્યાંક નિયત થયેલ છે. રાજ્યના લાભાર્થીઓને એક સાથે શકય તેટલા વધુ ગેસ કનેકશનો આપી શકાય તે માટે સરકાર દ્વારા જરૂરી આયોજન કરવામાં આવેલ આ માટે “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા  યોજના-૨.૦” અંતર્ગત મોરબી જિલ્લાના બાકી રહેલા એ.એ.વાય. તથા બી.પી.એલ. કેરોસીન કાર્ડધારકોને વિનામુલ્યે એલ.પી.જી. ગેસ કનેકશનનો લાભ આપવા માટે તા.૧૭ ના રોજ જિલ્લામાં નવ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું ત્યારે મોરબી નગરપાલીકા કક્ષાનો પાલીકાની બાજુમાં આવેલ ટાઉનહોલ ખાતે કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં પાલિકાના પ્રમુખ કુસુમબેન કરમશીભાઈ પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, શહેર મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા તેમજ પાલિકાના ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા ટેવ જ રીતે મોરબી ગ્રામ્ય કક્ષાનો પટેલ સમાજવાડી સકત શનાળા ખાતે, ટંકારા ગ્રામ્ય કક્ષાનો ઓરપેટ વિદ્યાલય, હળવદ નગરપાલીકા ગ્રામ્ય કક્ષાનો સરસ્વતી શીશુ મંદિર હોલ, હળવદ ગ્રામ્ય કક્ષાનો સેકન્ડરી સ્કુલ ટીકર(રણ), માળીયા નગરપાલીકા કક્ષાનો કન્યા શાળા માળીયા, માળીયા ગ્રામ્ય કક્ષાનો માધ્યમીક શાળા ખાખરેચી, વાંકાનેર નગરપાલીકા કક્ષાનો તાલુકા શાળા નં.-૧ બી.આર.સી. ભવન ગ્રીન ચોક વાંકાનેર, તેમજ વાંકાનેર ગ્રામ્ય કક્ષાનો ક્ષત્રીય સમાજવાડી વઘાસીયા ખાતે કાર્યક્રમો યોજાયા હતા અને આ કાર્યક્રમમાં લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું






Latest News