સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં શાકમાર્કેટમાંથી સોમવાર સુધીમાં ગટર-ગંદકી સાફ ન થાય તો ચક્કાજામ કરવાની વેપારીઓની ચીમકી


SHARE











મોરબીમાં શાકમાર્કેટમાંથી સોમવાર સુધીમાં ગટર-ગંદકી સાફ ન થાય તો ચક્કાજામ કરવાની વેપારીઓની ચીમકી

મોરબી શહેરમાં પડેલા નજીવા વરસાદમાં શાકમાર્કેટની અંદરના ભાગમાં વરસાદી પાણી અને ગટરનું પાણી ભરાઈ છે અને માર્કેટ પાછળના ભાગમાં લોહાણપરામાં ગંદકીના થર જામી જાય છે જેથી વેપારીઓ અને ત્યાં માલ લેવા માટે આવતા ગ્રાહકોના આરોગ્ય ઉપર જોખમ ઊભું થાય છે તો પણ સફાઈ કરવામાં આવતી નથી જેથી કરીને સ્થાનિક વેપારીઓએ પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવીને સોમવાર સુધીનું અલટીમેટ્મ આપ્યું છે અને જો ત્યાં સુધીમાં નક્કર કામ નહિ કરવામાં આવે તો નેહરૂ ગેઇટ ચોકમાં ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે

મોરબી શહેરના વેપારીઓને પણ પાલિકા પાસે પ્રાથમિક સુવિધાની અપેક્ષા છે જો કે, તે પૂરી થતી નથી અને માર્કેટના વેપારીઓ તેમજ ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડે છે જેથી કરીને મોરબી શાકમાર્કેટના વેપારીઓએ પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવીને સોમવાર સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે જો સોમવાર સુધીમાં માર્કેટ અને લોહાણાપરા વિસ્તારમાંથી ગટર, ગારો કીચડ અને ગંદકી દૂર કરવામાં નહીં આવે તો મોરબી શકમાર્કેટના વેપારીઓ પાસે બીજો કોઈ વિકલ્પ  છે નહીં અને વેપારીઓ દ્વારા નેહરૂ ગેઇટ ચોકમાં ચક્કાજામ કરવામાં આવશે 






Latest News