​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ
Breaking news
Morbi Today

મોરબીમાં શાકમાર્કેટમાંથી સોમવાર સુધીમાં ગટર-ગંદકી સાફ ન થાય તો ચક્કાજામ કરવાની વેપારીઓની ચીમકી


SHARE











મોરબીમાં શાકમાર્કેટમાંથી સોમવાર સુધીમાં ગટર-ગંદકી સાફ ન થાય તો ચક્કાજામ કરવાની વેપારીઓની ચીમકી

મોરબી શહેરમાં પડેલા નજીવા વરસાદમાં શાકમાર્કેટની અંદરના ભાગમાં વરસાદી પાણી અને ગટરનું પાણી ભરાઈ છે અને માર્કેટ પાછળના ભાગમાં લોહાણપરામાં ગંદકીના થર જામી જાય છે જેથી વેપારીઓ અને ત્યાં માલ લેવા માટે આવતા ગ્રાહકોના આરોગ્ય ઉપર જોખમ ઊભું થાય છે તો પણ સફાઈ કરવામાં આવતી નથી જેથી કરીને સ્થાનિક વેપારીઓએ પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવીને સોમવાર સુધીનું અલટીમેટ્મ આપ્યું છે અને જો ત્યાં સુધીમાં નક્કર કામ નહિ કરવામાં આવે તો નેહરૂ ગેઇટ ચોકમાં ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે

મોરબી શહેરના વેપારીઓને પણ પાલિકા પાસે પ્રાથમિક સુવિધાની અપેક્ષા છે જો કે, તે પૂરી થતી નથી અને માર્કેટના વેપારીઓ તેમજ ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડે છે જેથી કરીને મોરબી શાકમાર્કેટના વેપારીઓએ પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવીને સોમવાર સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે જો સોમવાર સુધીમાં માર્કેટ અને લોહાણાપરા વિસ્તારમાંથી ગટર, ગારો કીચડ અને ગંદકી દૂર કરવામાં નહીં આવે તો મોરબી શકમાર્કેટના વેપારીઓ પાસે બીજો કોઈ વિકલ્પ  છે નહીં અને વેપારીઓ દ્વારા નેહરૂ ગેઇટ ચોકમાં ચક્કાજામ કરવામાં આવશે 






Latest News