મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં બોખાની વાડીમાં રહેતા યુવાન અને તેના માતા-પિતાને ચાર શખ્સોએ માર માર્યો


SHARE











મોરબીમાં બોખાની વાડીમાં રહેતા યુવાન અને તેના માતા-પિતાને ચાર શખ્સોએ માર માર્યો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ અમૃતપાર્કની બાજુમાં બોખાની વાડીમાં રહેતા યુવાન અને તેના માતા-પિતાને ચાર શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાન અને તેના માતા-પિતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર લીધા બાદ યુવાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે માર માર્યો હોવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ અમૃત પાર્કની બાજુમાં આવેલ બોખાની વાડીમાં રહેતા ગણેશભાઈ ધીરુભાઈ નકુમ જાતે દલવાડી (૨૭) એ હાલમાં જગદીશભાઈ ધીરુભાઈ કંઝારીયા, બળવંતભાઈ ધીરુભાઈ કંઝારીયા, ગૌતમભાઈ ધીરુભાઈ કંઝારીયા અને લક્ષ્મણભાઈ શામજીભાઈ નકુમની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપીઓએ તેના ઘર પાસે આવીને તમે કેમ અમને અને અમારા પરિવારને હેરાન કરો છો તેવું કહ્યું હતું અને ત્યારે ફરિયાદી યુવાને કહ્યું હતું કે મારા ભાઈ સાથે તમારે અણ બનાવ હોય તો એમાં અમારે કોઈ લેવાદેવા નથી અને અમે તે વાતમાં કંઈ જાણતા નથી ત્યારે આરોપી જગદીશભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને તેની સાથે આવેલ તેના ભાઈઓ અને ફરિયાદીના કાકા લક્ષ્મણભાઈએ યુવાનને ગાળો આપી હતી અને બાદમાં તેના હાથમાં રહેલ ધોકા વડે યુવાનને માર માર્યો હતો જેથી કરીને ફરિયાદી ગણેશભાઈને માથામાં ઇજા થઈ હોવાથી તેના માતા પિતા તેને વચ્ચે બચાવવા માટે પડ્યા હતા ત્યારે તેઓને પણ માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ત્રણેય વ્યક્તિઓને ઇજા થઈ હોય ૧૦૮ મારફતે તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર લીધા બાદ ગણેશભાઈએ હાલમાં ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News