મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં બોખાની વાડીમાં રહેતા યુવાન અને તેના માતા-પિતાને ચાર શખ્સોએ માર માર્યો


SHARE











મોરબીમાં બોખાની વાડીમાં રહેતા યુવાન અને તેના માતા-પિતાને ચાર શખ્સોએ માર માર્યો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ અમૃતપાર્કની બાજુમાં બોખાની વાડીમાં રહેતા યુવાન અને તેના માતા-પિતાને ચાર શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાન અને તેના માતા-પિતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર લીધા બાદ યુવાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે માર માર્યો હોવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ અમૃત પાર્કની બાજુમાં આવેલ બોખાની વાડીમાં રહેતા ગણેશભાઈ ધીરુભાઈ નકુમ જાતે દલવાડી (૨૭) એ હાલમાં જગદીશભાઈ ધીરુભાઈ કંઝારીયા, બળવંતભાઈ ધીરુભાઈ કંઝારીયા, ગૌતમભાઈ ધીરુભાઈ કંઝારીયા અને લક્ષ્મણભાઈ શામજીભાઈ નકુમની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપીઓએ તેના ઘર પાસે આવીને તમે કેમ અમને અને અમારા પરિવારને હેરાન કરો છો તેવું કહ્યું હતું અને ત્યારે ફરિયાદી યુવાને કહ્યું હતું કે મારા ભાઈ સાથે તમારે અણ બનાવ હોય તો એમાં અમારે કોઈ લેવાદેવા નથી અને અમે તે વાતમાં કંઈ જાણતા નથી ત્યારે આરોપી જગદીશભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને તેની સાથે આવેલ તેના ભાઈઓ અને ફરિયાદીના કાકા લક્ષ્મણભાઈએ યુવાનને ગાળો આપી હતી અને બાદમાં તેના હાથમાં રહેલ ધોકા વડે યુવાનને માર માર્યો હતો જેથી કરીને ફરિયાદી ગણેશભાઈને માથામાં ઇજા થઈ હોવાથી તેના માતા પિતા તેને વચ્ચે બચાવવા માટે પડ્યા હતા ત્યારે તેઓને પણ માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ત્રણેય વ્યક્તિઓને ઇજા થઈ હોય ૧૦૮ મારફતે તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર લીધા બાદ ગણેશભાઈએ હાલમાં ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News