મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

માળિયાના ખાખરેચી ગામેથી અઢી વર્ષની બાળકીનું અપહરણ


SHARE











માળિયાના ખાખરેચી ગામેથી અઢી વર્ષની બાળકીનું અપહરણ

મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકામાં આવેલ ખાખરેચી ગામેથી અઢી વર્ષની બાળકીનું અપહરણ થયું હોય પોલીસ દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

અપહરણના આ બનાવની મળતી માહિતી મુજબ હાલ હળવદના ચરાડવા ગામે રહેતો ગદલીયા પરિવાર મોરબી જિલ્લાના માળીયા(મિં.) તાલુકાના ખાખરેચી ગામે લુહારી કામ કરતો હોય લોખંડના બકડિયા, ડોલ, તગારા, સગડી, ચૂલા વિગેરે વેચવા માટે ગયો હતો દરમિયાન ત્યાંથી તેઓની અઢી વર્ષની બાળકીનું અપહરણ થયું હોય હાલ પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.વધુમાં માળીયા પોલીસમાંથી મળતી માહીતી મુજબ ગત તા.૮ ના રોજ માળીયાના ખાખરેચી ગામે ચરાડવાનો ગાદલીયા પરીવાર બકડીયા, ડોલ, તગરા જેવી પ્લાસ્ટિકની વસ્તુઓનો છૂટકમાં વેપાર કરતો પરિવાર લોખંડના બકડીયા, ડોલ, તગરા, ચુલા જેવી વસ્તુઓ વેચવા ગયો હતો તે દરમિયાનમાં પરિવારની અઢી વર્ષની બાળકી લક્ષ્મીબેન મેરાભાઈ મનજીભાઈ ચૌહાણનું કોઈ અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરી જવામાં આવ્યું હોય પરિવારે પોલીસને જાણ કરી હતી.

વધુમાં પરિવારના સભ્ય સાથે વાત કરતા બે મહિલા (દેરાણી-જેઠાણી) તેમજ એક વૃદ્ધા (સાસુ) તથા બે યુવાન તથા આ ગુમ થયેલ બાળકી ચરાડવા ગામેથી માળિયાના ખાખરેચી ગામે આવ્યા હતા અને બંને મહિલાઓ નાહવા માટે ગયા હતા અને વૃદ્ધા પાણી ભરતા હતા જ્યારે બે યુવાનો મંદિરના ભાગે સૂતા હતા તે દરમિયાનમાં ત્યાં રમી રહેલ અઢી વર્ષની બાળકી લક્ષ્મીબેનનું કોઈ અજાણ્યા ઈસમ દ્વારા અપહરણ કરીને લઈ જવામાં આવ્યું હોવાનું ધ્યાન ઉપર આવતા પરિવારે માળિયા પોલીસમાં આ અંગે જાણ કરેલ છે.હાલ માળિયા પોલીસ દ્વારા ગુનો નોંધી બાળકીને શોધવા માટેની આગળની કવાયત હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

બાઈક સ્લીપ થતા ઇજા

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ પિરામિડ સિરામિક નજીક રહેતા અને મજૂરી કામ કરતા સંજય ઘુસાભાઈ વસવેલીયા નામના ૨૨ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા અત્રેના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે તાલુકા પોલીસે તપાસ કરતા બાઇક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં તેને ઈજા થઈ હોવાનું ખુલ્યું હતું.જ્યારે મોરબીના રવાપર રોડ મામા ફટાકડા પાસે આવેલ સોમનાથ સોસાયટીમાં રહેતા પી.પી.ઠાકર નામના ૫૮ વર્ષના આધેડ તેના ઘેર કોઈ કારણોસર ટોઇલેટ કલીનર હાર્પીક પી જતા તેઓને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા અને જેને પગલે એ ડિવિઝન પોલીસને જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.






Latest News