મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં હજરત પીર સૈયદ મીરૂમિયા બાવાના ૧૦૦ મા ઉર્ષની ભવ્ય ઉજવણી


SHARE







વાંકાનેરમાં હજરત પીર સૈયદ મીરૂમિયા બાવાના ૧૦૦ મા ઉર્ષની ભવ્ય ઉજવણી

વાંકાનેરમાં આવેલ અલ્હાજ પીર સૈયદ ખુરશીદ હૈદર પીરઝાદા દ્વારા પીર સૈયદ મીરૂમિયા બાવાના ૧૦૦ મા ઉર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે અને ત્રણ દિવસ સુધી આ ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગઇકાલે સાંજે આમ ન્યાજનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જે શનિવારે સાંજે સાડા પાંચ વાગ્યે મોલવી સાહેબની દરગાહ પાછળની વાડીમાં આમ ન્યાજ શરૂ થઈ હતી અને ઈશાની નમાઝ બાદ તકરીર જેમાં સૈયદ શકીલ એહમદ બાવા, સૈયદ મહમદ કૈફ બાવા, ખતીબે એહલેબૈત, હઝરત અલ્લામા મૌલાના મુફ્તી મોહંમદ શફીક હનફી સાહેબ મુંબઈની તકરીરનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને તકરીર બાદ ન્યાજ શરીફનું આયોજન કરાયું હતું આ ઉપરાંત રવિવારે તા ૭ ના રોજ કુર્આન ખ્વાની અને દરગાહ શરીફ પાછળ વાડીમાં સર્વ રોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઈશાની નમાઝ બાદ મશહૂર કવ્વાલ સરફરાઝ રાજા એન્ડ કંપની દ્વારા મહેફીલે શમાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેવું આયોજકો પાસેથી જાણવા મળ્યું છે.






Latest News