મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલ કેસમાં પકડાયેલા ૧૦ પૈકીનાં ૩ આરોપીઓના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર


SHARE











મોરબીના ઝૂલતા પુલ કેસમાં પકડાયેલા ૧૦ પૈકીનાં ૩ આરોપીઓના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર

મોરબીના ઝૂલતા પુલ કેસમાં જયસુખભાઇ સહિતના ૧૦ આરોપીને પકડવામાં આવેલ છે જે પૈકીનાં ત્રણ આરોપીના રેગ્યુલર જામીન માટે હાઇકોર્ટમા અરજી કરવામાં આવી હતી જેના આજે મંજૂર કરવામાં આવી છે

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે કુલ મળીને ૧૦ આરોપીને પકડ્યા હતા અને તે આરોપીઓ હાલમાં મોરબીની જેલમાં છે અને તે પૈકીનાં ત્રણ  આરોપીના રેગ્યુલર જામીન માટે હાઇકોર્ટમા જામીન અરજી વકીલ મારફતે મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાને લઈને જજે ત્રણ આરોપીના જામીન માટેની અરજીને મંજૂર કરવામાં આવી છે જેથી કરીને ઝૂલતા પુલ કેસમાં પકડાયેલા આરોપી પૈકીનાં અલ્પેશ ગલાભાઇ ગોહીલ, દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ અને મુકેશભાઈ દલસિંગભાઈ ચૌહાણના જામીન મંજૂર કરવામાં આવ્યા છે જો કે, હજુ પણ ઝૂલતા પુલ કેસમાં પકડાયેલા જયસુખભાઇ સહિતના ૧૦ આરોપી પૈકીનાં સાત આરોપીઓ મોરબીની સબ જેલમાં છે હાલમાં જે આરોપીના જામીન મંજુર કરવામાં આવેલ છે તે ત્રણેય આરોપી ઘટના સમયે સિક્યુરીટી ગાર્ડ તરીકે ઝુલતા પુલ ઉપર હાજર હતા






Latest News