વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે રહેતી પરિણીતાએ પતિ, સાસુ અને સસરા સામે નોંધાવી ફરિયાદ


SHARE











માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે રહેતી પરિણીતાએ પતિ, સાસુ અને સસરા સામે નોંધાવી ફરિયાદ

મોરબી જિલ્લાના જુના ઘાટીલા ગામે માવતરના ઘરે રહેતી પરણીતાએ તેના પતિસાસુ અને સસરા સામે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે શારીરિક અને માનસિક દુઃખત્રાસ આપતા હોવાની તેમજ મારકૂટ કરતાં હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં આવતા જુના ઘાટીલા ગામે રહેતા જગદીશભાઈની દીકરી અંજનાબેન (30) ના લગ્ન હાલમાં ભરૂચ જિલ્લાના દહેજ ગામે સરસ્વતી સોસાયટી બી-૭ માં રહેતા ધવલભાઇ દુર્લભજીભાઈ દેથરિયા કાવર સાથે થયા હતા અને અંજનાબેન હાલમાં તેના માવતરના ઘરે છે ત્યારે તેણે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ ધવલભાઈ દુર્લભજીભાઈ કાવર, સસરા દુર્લભજીભાઈ પ્રભુભાઈ કાવર અને સાસુ મુક્તાબેન દુર્લભજીભાઈ કાવર રહે. બધા હાલ સરસ્વતી ટાઉનશિપ બી-૭ દહેજવાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ઘરકામ બાબતે મેણાં ટોણાં મારીને શારીરિક માનસિક દુખ ત્રાસ આપતા હતા અને મારકૂટ પણ કરતાં હતા તેમજ ફરિયાદીના પતિને ચડામણી કરીને ત્રણેય જણા તેને ત્રાસ આપતા હતા જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તેના પતિ સહિતના ત્રણ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતથી નુકશાન

ટંકારા તાલુકાના વીરપર ગામે આવેલ એલપીજી પંપ સામે રોડ ઉપરથી રાજકોટના કાલાવા રોડ ઉપર ક્રિસ્ટલ મોલ સામેના ભાગમાં આવેલ સૌરભ રેસીડેન્સી રહેતા એડવોકેટ અજયભાઈ કાંતિલાલ જોશી જાતે બ્રાહ્મણ (૪૨) પોતાની કાર નંબર જીજે ૩ જેઆર ૨૦૦૫ લઈને જઈ રહ્યા હતા ત્યારે તેની ઇનોવા કારને ટ્રક ટ્રેલર નંબર જીજે ૧૨ બીવાય ૮૭૧૬ ના ચાલક પૂખરાજસિંહ કિશનસિંહ રહે. રાજસ્થાન વાળાએ હડફેટે લીધી હતી જેથી કરીને પાછળના દરવાજા, બમ્પર વિગેરેમાં નુકસાન થયું હોવાથી હાલમાં ભોગ બનેલા અજયભાઈ જોશી દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની છે






Latest News