મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

પોલીસની ધાક ઓસરી રહી છે કે શું..? : મોરબીના નાનીવાવડી ગામે દેવ ફનવર્લ્ડમાં ખભો અથડાતાં યુવાનને છરીના પાંચ ઘા ઝીકયા, ત્રણ શખ્સો સામે ફરિયાદ


SHARE











પોલીસની ધાક ઓસરી રહી છે કે શું..? : મોરબીના નાનીવાવડી ગામે દેવ ફનવર્લ્ડમાં ખભો અથડાતાં યુવાનને છરીના પાંચ ઘા ઝીકયા, ત્રણ શખ્સો સામે ફરિયાદ

મોરબીના નાનીવાવડી ગામ પાસે આવેલ દેવ ફન વર્લ્ડમાં ચાલીને જતા સમયે યુવાનનો ખભો અથડાવાની વાતમાં યુવાનને ચારથી પાંચ જેટલા છરીના ઘા ઝીકિ દીધા હતા જેથી કરીને યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને ત્યારબાદ તેણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના નવાગામ ખાતે રહેતા રમજાનભાઈ મુરાદભાઈ કટિયા જાતે મિયાણા (૨૧) એ હાલમાં માળીયા મીયાણા ખાતે રહેતા ઈરફાન સંધવાણી અને તેની સાથે રહેલા શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, રમજાન ઈદનો તહેવાર હોવાથી તે મોરબી નજીકના નાની વાવડીથી બગથળા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવતા દેવ ફન વર્લ્ડ ખાતે ફરવા માટે આવ્યો હતો અને તે પરત ઘરે જવા માટે દેવ ફન વર્લ્ડમાં સીડી ઉપરથી પસાર થઈને બહાર નીકળતો હતો ત્યારે આરોપી ઈરફાન સંધવાણી સાથે ખંભો અથડાતાં તેને ઇરફાન સંધવાણીએ ગાળો આપી હતી ત્યારે ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા ઇરફાન સંધવાણીએ પોતાની પાસે રહેલ છરી વડે તેને ખભાના ભાગે છરીનો એક ઘા મારી નીચે પાડી દીધો હતો અને તેની સાથે રહેલા બે શખ્સોએ તેને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ બે શખ્સોએ તેને પકડી રાખતા આરોપી ઈરફાન સંધવાણીએ પેટ અને પીઠના ભાગે વધુ ચાર છરીના ઘા માર્યા હતા જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબી બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ તેને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ઉપરોક્ત ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે માળીયા હાઇવે ઉપર આવેલ ટીંબડી ગામના પાટીયા પાસે રહેતા સુખરામ તેજારામ નામના ૩૬ વર્ષના યુવાનને તેના રહેણાંક મકાન નજીક મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ અંગે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી જેથી કરીને તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ બનાવની નોંધ કરી બનાવ સંદર્ભે આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News