મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

ટંકારાના ટોળ ગામે મુનિશ્રી સંતબાલજીના ૪૧ માં નિર્વાણ દિને જન્મભુમી સ્થળને પુનઃ ઉજાગર કરવાનો કરાયો સંકલ્પ


SHARE







ટંકારાના ટોળ ગામે મુનિશ્રી સંતબાલજીના ૪૧ માં નિર્વાણ દિને જન્મભુમી સ્થળને પુનઃ ઉજાગર કરવાનો કરાયો સંકલ્પ

મુનિશ્રી સંતબાલજીનો ૪૧ મો નિર્વાણ દિવસ જન્મભૂમિ ટોળ ગામે ગોવિંદસિંહ દાજીભાઈ ડાભી પ્રમુખ ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ રાણપુર (બોટાદ)અમદાવાદ ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ ગુંદીના પ્રમુખ દાજીભાઈ ફલજીભાઈ ડાભી અને પિનાકી નાનકભાઈ મેઘાણી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર તથા સ્થાપક ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનઅમદાવાદ સહિતના અગ્રણીઓની હાજરીમાં ઉજવાયો હતો

ટંકારા તાલુકાના ટોળ ગામે પિતા નાગજીભાઈ દેવજીભાઈ અને માતા મોતીબેનના કુખે તા ૨૬/૮/૧૯૦૪ ના રોજ સંતબાલજીનો જન્મ થયો હતો બાળપણનુ શિવલાલ નામ હતું ૨૫ વર્ષની નાની વયે ૧૮/૧/૧૯૨૯ ના રોજ વાકાનેર ખાતે જૈન સાધુની દિક્ષા ગ્રહણ કરી સૌભાગ્યચંદ્ર નામ ધારણ કર્યું જે આગળ જતા મુનિશ્રી સંતબાલજી ક્રાંતિકારી જૈન સંત તરીકે સ્થાપિત થયા હતા અને તેઓના જીવનકાળ દરમ્યાન તેમણે જૈન ધર્મભારતીય દર્શનો અને અધ્યાત્મ વિષયક વિપુલ સાહિત્યસર્જન કર્યું હતું. તેમની દાયકાઓની વિહારયાત્રામાં તેમણે જૈનધર્મની પ્રભાવના કરવા સાથેસત્ય અને અહિંસાસર્વધર્મ સમભાવવ્યસનમુક્તિઅન્યાય પ્રતિકારસ્ત્રી ઉત્થાનમાનવરાહતધર્મ દૃષ્ટિએ સમાજરચનાખેડૂતોઆદિવાસીઓ વગેરેના વિવિધ સંગઠનો સાથે સમાજ ઘડતરના કાર્યો કર્યા અને ૨૬/૩/૧૯૮૨ ના મુબઈ ખાતે નિર્વાણ પામ્યા હતા જેમની સમાધી સ્થાન ચિચંણી મહાવીરનગર મહારાષ્ટ્ર ખાતે આવેલ છે જ્યા વિશાળ આશ્રમ કાર્યરત છે તેમની પ્રેરણાથી આજે પણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં  ધણી બધી સંસ્થાઓ મુનિશ્રીના આદર્શોઉદ્દેશો પ્રમાણે કાર્ય કરી રહી છે.

ત્યારે ૪૧ માં નિર્વાણ દિને સંતબાલની જન્મ સ્થળની મુલાકાત લઈ આ દિવ્ય સ્થાનને  આઝાદી કા અમૃત વર્ષ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ૧૨૫ માં જન્મજયંતી વર્ષ નિમિતે ટોળ જન્મભુમી સ્થળને પુનઃ ઉજાગર કરવા બીડું ઉપાડવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણીગોવિંદસિંહ દામજીભાઈ ડાભીદાજીભાઈ ફલજીભાઈ ડાભીગગુભાઅનિરુધ્ધભાઈરમેશભાઈ દિલીપભાઈટોળ સરપંચ અબ્દુલભાઈસહકારી અગ્રણી મેપાભાઈહીરાભાઈભાવિંનભાઈરમેશભાઈ ગાંધી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેલ હતા અને સંતશ્રી બાલશ્રી જન્મભુમી સ્થળને પુનઃ ઉજાગર કરવા સંકલ્પ સાથે  લાઇબ્રેરી અને રોજગાર લક્ષી  વિવિધ સેવાકીય કામગીરી સાથે આ દિવ્ય ભૂમિનાં વિકાસ માટે સમસ્ત નગરજનો ટોળ ગામના ઐતિહાસિક સ્મારક સ્થળને દેશ દેશાવરના લોકો માટે દર્શનીય બને એવા સંકલ્પ કર્યો હતો






Latest News