મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના ટોળ ગામે મુનિશ્રી સંતબાલજીના ૪૧ માં નિર્વાણ દિને જન્મભુમી સ્થળને પુનઃ ઉજાગર કરવાનો કરાયો સંકલ્પ


SHARE











ટંકારાના ટોળ ગામે મુનિશ્રી સંતબાલજીના ૪૧ માં નિર્વાણ દિને જન્મભુમી સ્થળને પુનઃ ઉજાગર કરવાનો કરાયો સંકલ્પ

મુનિશ્રી સંતબાલજીનો ૪૧ મો નિર્વાણ દિવસ જન્મભૂમિ ટોળ ગામે ગોવિંદસિંહ દાજીભાઈ ડાભી પ્રમુખ ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ રાણપુર (બોટાદ)અમદાવાદ ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ ગુંદીના પ્રમુખ દાજીભાઈ ફલજીભાઈ ડાભી અને પિનાકી નાનકભાઈ મેઘાણી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર તથા સ્થાપક ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનઅમદાવાદ સહિતના અગ્રણીઓની હાજરીમાં ઉજવાયો હતો

ટંકારા તાલુકાના ટોળ ગામે પિતા નાગજીભાઈ દેવજીભાઈ અને માતા મોતીબેનના કુખે તા ૨૬/૮/૧૯૦૪ ના રોજ સંતબાલજીનો જન્મ થયો હતો બાળપણનુ શિવલાલ નામ હતું ૨૫ વર્ષની નાની વયે ૧૮/૧/૧૯૨૯ ના રોજ વાકાનેર ખાતે જૈન સાધુની દિક્ષા ગ્રહણ કરી સૌભાગ્યચંદ્ર નામ ધારણ કર્યું જે આગળ જતા મુનિશ્રી સંતબાલજી ક્રાંતિકારી જૈન સંત તરીકે સ્થાપિત થયા હતા અને તેઓના જીવનકાળ દરમ્યાન તેમણે જૈન ધર્મભારતીય દર્શનો અને અધ્યાત્મ વિષયક વિપુલ સાહિત્યસર્જન કર્યું હતું. તેમની દાયકાઓની વિહારયાત્રામાં તેમણે જૈનધર્મની પ્રભાવના કરવા સાથેસત્ય અને અહિંસાસર્વધર્મ સમભાવવ્યસનમુક્તિઅન્યાય પ્રતિકારસ્ત્રી ઉત્થાનમાનવરાહતધર્મ દૃષ્ટિએ સમાજરચનાખેડૂતોઆદિવાસીઓ વગેરેના વિવિધ સંગઠનો સાથે સમાજ ઘડતરના કાર્યો કર્યા અને ૨૬/૩/૧૯૮૨ ના મુબઈ ખાતે નિર્વાણ પામ્યા હતા જેમની સમાધી સ્થાન ચિચંણી મહાવીરનગર મહારાષ્ટ્ર ખાતે આવેલ છે જ્યા વિશાળ આશ્રમ કાર્યરત છે તેમની પ્રેરણાથી આજે પણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં  ધણી બધી સંસ્થાઓ મુનિશ્રીના આદર્શોઉદ્દેશો પ્રમાણે કાર્ય કરી રહી છે.

ત્યારે ૪૧ માં નિર્વાણ દિને સંતબાલની જન્મ સ્થળની મુલાકાત લઈ આ દિવ્ય સ્થાનને  આઝાદી કા અમૃત વર્ષ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ૧૨૫ માં જન્મજયંતી વર્ષ નિમિતે ટોળ જન્મભુમી સ્થળને પુનઃ ઉજાગર કરવા બીડું ઉપાડવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણીગોવિંદસિંહ દામજીભાઈ ડાભીદાજીભાઈ ફલજીભાઈ ડાભીગગુભાઅનિરુધ્ધભાઈરમેશભાઈ દિલીપભાઈટોળ સરપંચ અબ્દુલભાઈસહકારી અગ્રણી મેપાભાઈહીરાભાઈભાવિંનભાઈરમેશભાઈ ગાંધી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેલ હતા અને સંતશ્રી બાલશ્રી જન્મભુમી સ્થળને પુનઃ ઉજાગર કરવા સંકલ્પ સાથે  લાઇબ્રેરી અને રોજગાર લક્ષી  વિવિધ સેવાકીય કામગીરી સાથે આ દિવ્ય ભૂમિનાં વિકાસ માટે સમસ્ત નગરજનો ટોળ ગામના ઐતિહાસિક સ્મારક સ્થળને દેશ દેશાવરના લોકો માટે દર્શનીય બને એવા સંકલ્પ કર્યો હતો






Latest News