મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ૩૦ જેટલી દુકાનોમાં ચોરી કરનારા ચોરનાં એક દિવસના રિમાન્ડ મંજૂર


SHARE











મોરબીમાં ૩૦ જેટલી દુકાનોમાં ચોરી કરનારા ચોરનાં એક દિવસના રિમાન્ડ મંજૂર

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સિરામિક પ્લાઝા અને શક્તિ ચેમ્બરમાં કુલ મળીને ૩૦ થી વધુ દુકાનોના તાળા તૂટ્યા હતા જે બનાવ સંદર્ભે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વેપારીઓએ જુદીજુદી બે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી કરીને આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી હતી અને આ ચોરીના ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે અને આ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

મોરબીના હાઇવે રોડ ઉપર આવેલ સીરામીક પ્લાઝા કોમ્પલેક્ષમાં થોડા દિવસો પહેલા એકીસાથે ૨૦ જેટલી દુકાનના તાળા તૂટ્યા હતા ત્યાર બાદ શક્તિ ચેમ્બર ૧ અને ૨ માં જુદા જુદા વેપારીઓની દુકાનોને તસ્કર દ્વારા નિશાન બનાવવામાં આવી હતી અને એક કે બે નહીં પરંતુ લગભગ ૧૦ કરતાં વધુ દુકાનોના તાળા એક જ રાતમાં તોડવામાં આવ્યા છે આમ એક જ વિસ્તારમાં થોડા દિવસોના અંતરે ૩૦ જેટલી દુકાનોના તાળાં તૂટ્યા હતા જેથી કરીને વેપારીઓ દ્વારા આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને જુદીજુદી બે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી કરીને બી ડિવિઝનના પીઆઇ પી.કે. દેકાવાડિયા અને તેની ટિમ દ્વારા આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા હતા અને હાલમાં આ ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે

મોરબી બી ડિવિઝન પોલીસે બંને શોપિંગ સેન્ટરોમાં કુલ મળીને ૩૦ જેટલી દુકાનોના તાળા તોડનાર અમિત ઉર્ફે અનુશેરસિંહ નન્હેલાલ રાવત જાતે આદિવાસી (૨૦) રહે. ખીરીયા થાના નારીયાવલી તાલુકો જીલ્લો સાગર મધ્યપ્રદેશ હાલ રહે. મોરબી વાળાની ગત મોડી રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં ધરપકડ કરી હતી.અને પકડાયેલ અમિત ઉર્ફે અનુશેરસિંહ રાવત જાતે આદિવાસીએ આ બે શોપિંગ સેન્ટરોમાં જ ચોરી કરી છે કે અન્ય કોઈપણ જગ્યાએ પણ હાથ અજમાવેલ છે કે કેમ તેમજ તેણે એકલાએ જ આ ઘટનાને અંજામ આપ્યો હતો કે તેની સાથે અન્ય કોઈપણ સંડાવાયેલ છે એ દિશામાં સીટી બી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અને આ આરોપીને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે તેવું મોરબીના ડીવાયએસપી પી.એ. ઝાલાએ જણાવ્યુ છે

વધુમાં માહિતી આપતા અધિકારી જણાવ્યુ હતું કેહાલમાં પકડાયેલ આરોપી એક વર્ષ પહેલા મોરબીના ઘૂટું રોડે આવેલ સિરામિક કારખાનામાં મજૂરી કામ કરવા માટે આવ્યો હતો અને ત્યાર બાદ તે પોતાના વતનમાં જતો રહ્યો હતો અને થોડા દિવસો પહેલા જ તે પોતાના વતનમાંથી પાછો આવ્યો હતો અને તેને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો જો કે, તેની સાથે બીજા કોઈ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને બહારથી મજૂરી કામ કરવા માટે આવતા મજૂરોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લીકેશનમાં દરેક કારખાનેદાર દ્વારા વહેલાં વહેલી તકે આપવામાં આવે તે જરૂરી છે






Latest News