ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે
Breaking news
Morbi Today

મોરબીના જુના નાગડાવાસ ગામના વ્યક્તિને વિમાની રકમ વ્યાજ-ખર્ચ સાથે ચૂકવવા આદેશ


SHARE











મોરબીના જુના નાગડાવાસ ગામના વ્યક્તિને વિમાની રકમ વ્યાજ-ખર્ચ સાથે ચૂકવવા આદેશ

મોરબીના જુના નાગડાવાસ ગામે રહેતા વ્યક્તિએ ગાડીનો વીમો લીધો હતો જો કે, ગાડીનો અકસ્માત થયા પછી વીમા કંપનીએ વીમો આપવાની કહી હતી જેથી કરીને ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા કાર્યવાહી કરીને ગ્રાહક તકરારમાં કેસ કરવામાં આવ્યો હતો જેમાં કોર્ટે નુકશાનીની રકમ વ્યાજ અને ખર્ચ સાથે આપવાનો હુકમ કર્યો છે

મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા જુના નાગડાવાસના રહીશ હુંબલ ભાવેશભાઇ સવજીભાઇએ આઇસીઆઇસીઆઇ જનરલ ઇન્સ્યુરન્સમાંથી પોતાની બોલેરો ગાડીનો વીમો લીધેલ હતો અને ગાડીની ચેસીસ તુટી જતા અને ગાડીમાં અન્ય ખર્ચ થતા વીમા કંપની સામે ફરીયાદ કરેલ હતી પરંતુ વીમા કંપનીએ કહ્યુ કે, ફરયાદીએ છેતાલીસ દિવસ મોડી વીમા કંપનીને જાણ કરેલ છે તેથી તે વીમાને હકકદાર નથી. પરંતું નામદાર કોર્ટે કહેલ કે તેઓએ વીમો લીધેલ છે માટે તમારે વીમાની રકમ આપવી જોઇએ તમારી સેવામાં ખામી હોય તેમ ગ્રાહક માને છે માટે તમારે હુંબલ ભાવેશભાઇ સવજીભાઇને રૂપિયા ૮૨,૩૯૦ આપવાના રહેશે. તથા કેસ દાખલ તા.૧૫-૧-૨૦ થી છ ટકાના વ્યાજ સાથે તેમજ ગ્રાહકને પાંચ હજારનો ખર્ચ થયેલ છે તે ચુકવવાનો હુકમ કરેલ છે.






Latest News