મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં પોકસો કેસના આરોપી હનીફ કાદરભાઈ જામનો નીર્દોષ છૂટકારો


SHARE







મોરબીમાં પોકસો કેસના આરોપી હનીફ કાદરભાઈ જામનો નીર્દોષ છૂટકારો

મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશને તા. ૦૯/૦૬/૨૦૧૬ના રોજ પોકસોની ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદને આરોપીએ ફરીયાદીને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી બે મહીના પહેલા બદકામ કરી તથા ૧૫ દીવસ પહેલા ફરીયાદીને તેના ઘરેથી અપહરણ કરી લઈ જઈ અને ઘરે મુકી ગયેલ છે તેવું લખાવ્યું હતું જેથી આરોપી સામે આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, તથા પોકસો અધી. ૨૦૧૨ ની કલમ ૪ મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરેલ હતી

આ અંગેનો કશ અત્રેના એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં શરૂ થયેલો હતો અને આરોપી વતી મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા રોકાયેલ હતા આ કામે ફરીયાદી પક્ષે ફરીવાદી તથા અન્ય સાહેદો, પંચો, ડોકટર તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલી હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ કે, આ કાર્ય ફરીયાદ પક્ષે ફરીવાદી વિરુદ્ધ અને વીપરીત હકીકત જણાવેલ છે. અને આ કામના ફરીયાદીના સગાઓને તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક ફરિયાદી પક્ષના કેસો કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. તેમજ આ કામના આરોપીએ આ કામના ફરીવાદીને કાયદેસરના વાલીપણામાથી લઈ જઈને ફરીયાદી સગીર વયની હોવાનું જાણવા છતા આરોપીએ ફરીયાદી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ કરેલ હોવાનું ફરિયાદી પક્ષે સાબીત કરેલ નથી તેમજ ફરીયાદ પક્ષે પોતાનો કેસ શંકા રહીત પુરવાર કરવા જોઇએ જે કરી શકેલ નથી. જેથી બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ દીલીપ આર. અગેચાણીયાની દલીલો માની નામદાર કોર્ટે આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના એડવોકેટ દીલીપ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે.ડી. સોલંકી, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, રવી ચાવડા રોકાયેલ હતા.






Latest News