મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના રાયસંગપર ગામ નજીકથી જામગરી બંદૂક સાથે એક પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પોકસો કેસના આરોપી હનીફ કાદરભાઈ જામનો નીર્દોષ છૂટકારો


SHARE











મોરબીમાં પોકસો કેસના આરોપી હનીફ કાદરભાઈ જામનો નીર્દોષ છૂટકારો

મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશને તા. ૦૯/૦૬/૨૦૧૬ના રોજ પોકસોની ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદને આરોપીએ ફરીયાદીને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી બે મહીના પહેલા બદકામ કરી તથા ૧૫ દીવસ પહેલા ફરીયાદીને તેના ઘરેથી અપહરણ કરી લઈ જઈ અને ઘરે મુકી ગયેલ છે તેવું લખાવ્યું હતું જેથી આરોપી સામે આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, તથા પોકસો અધી. ૨૦૧૨ ની કલમ ૪ મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરેલ હતી

આ અંગેનો કશ અત્રેના એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં શરૂ થયેલો હતો અને આરોપી વતી મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા રોકાયેલ હતા આ કામે ફરીયાદી પક્ષે ફરીવાદી તથા અન્ય સાહેદો, પંચો, ડોકટર તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલી હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ કે, આ કાર્ય ફરીયાદ પક્ષે ફરીવાદી વિરુદ્ધ અને વીપરીત હકીકત જણાવેલ છે. અને આ કામના ફરીયાદીના સગાઓને તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક ફરિયાદી પક્ષના કેસો કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. તેમજ આ કામના આરોપીએ આ કામના ફરીવાદીને કાયદેસરના વાલીપણામાથી લઈ જઈને ફરીયાદી સગીર વયની હોવાનું જાણવા છતા આરોપીએ ફરીયાદી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ કરેલ હોવાનું ફરિયાદી પક્ષે સાબીત કરેલ નથી તેમજ ફરીયાદ પક્ષે પોતાનો કેસ શંકા રહીત પુરવાર કરવા જોઇએ જે કરી શકેલ નથી. જેથી બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ દીલીપ આર. અગેચાણીયાની દલીલો માની નામદાર કોર્ટે આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના એડવોકેટ દીલીપ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે.ડી. સોલંકી, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, રવી ચાવડા રોકાયેલ હતા.






Latest News