મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ
Breaking news
Morbi Today

મોરબીમાં પોકસો કેસના આરોપી હનીફ કાદરભાઈ જામનો નીર્દોષ છૂટકારો


SHARE









મોરબીમાં પોકસો કેસના આરોપી હનીફ કાદરભાઈ જામનો નીર્દોષ છૂટકારો

મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશને તા. ૦૯/૦૬/૨૦૧૬ના રોજ પોકસોની ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદને આરોપીએ ફરીયાદીને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી બે મહીના પહેલા બદકામ કરી તથા ૧૫ દીવસ પહેલા ફરીયાદીને તેના ઘરેથી અપહરણ કરી લઈ જઈ અને ઘરે મુકી ગયેલ છે તેવું લખાવ્યું હતું જેથી આરોપી સામે આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, તથા પોકસો અધી. ૨૦૧૨ ની કલમ ૪ મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરેલ હતી

આ અંગેનો કશ અત્રેના એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં શરૂ થયેલો હતો અને આરોપી વતી મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા રોકાયેલ હતા આ કામે ફરીયાદી પક્ષે ફરીવાદી તથા અન્ય સાહેદો, પંચો, ડોકટર તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલી હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ કે, આ કાર્ય ફરીયાદ પક્ષે ફરીવાદી વિરુદ્ધ અને વીપરીત હકીકત જણાવેલ છે. અને આ કામના ફરીયાદીના સગાઓને તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક ફરિયાદી પક્ષના કેસો કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. તેમજ આ કામના આરોપીએ આ કામના ફરીવાદીને કાયદેસરના વાલીપણામાથી લઈ જઈને ફરીયાદી સગીર વયની હોવાનું જાણવા છતા આરોપીએ ફરીયાદી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ કરેલ હોવાનું ફરિયાદી પક્ષે સાબીત કરેલ નથી તેમજ ફરીયાદ પક્ષે પોતાનો કેસ શંકા રહીત પુરવાર કરવા જોઇએ જે કરી શકેલ નથી. જેથી બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ દીલીપ આર. અગેચાણીયાની દલીલો માની નામદાર કોર્ટે આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના એડવોકેટ દીલીપ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે.ડી. સોલંકી, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, રવી ચાવડા રોકાયેલ હતા.






Latest News