મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાની માંગ ઉઠી
Breaking news
Morbi Today

મોરબી : મહાશિવરાત્રીના મેળા નિમિત્તે રાજકોટ-જૂનાગઢ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે


SHARE









મોરબી : મહાશિવરાત્રીના મેળા નિમિત્તે રાજકોટ-જૂનાગઢ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે
 

જૂનાગઢમાં દર વર્ષે મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવે છે.આ મહાશિવરાત્રી મેળામાં જતા મુસાફરોની સુવિધા માટે રેલ્વે પ્રશાસન દ્વારા રાજકોટ-જૂનાગઢ વચ્ચે એક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે અને ઘણી ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે જેની વિગતોમાં રાજકોટ-જૂનાગઢ-રાજકોટ મેળા સ્પેશિયલ ટ્રેન રાજકોટ-જૂનાગઢ વચ્ચે “મેળા સ્પેશિયલ ટ્રેન” દોડશે જે તા.૧૫-૨ થી તા.૨૧-૨ સુધી દોડશે. (તા.૧૬-૨ અને તા.૨૦-૨ સિવાય) દોડશે. ઉપરોક્ત દિવસોમાં આ સ્પેશિયલ ટ્રેન રાજકોટથી સવારે ૧૦:૪૦ કલાકે ઉપડી જૂનાગઢ સ્ટેશને બપોરે ૧૨.૪૫ કલાકે પહોંચશે.તેવી જ રીતે આ ટ્રેન જૂનાગઢથી ૧૫:૩૦ કલાકે ઉપડશે અને ૧૭:૫૫ એ રાજકોટ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં વડાલ, ચોકી સોરઠ, જેતલસર, નવાગઢ, વીરપુર, ગોમટા, ગોંડલ, રીબડા, કોઠારિયા અને ભક્તિનગર સ્ટેશન પર ઉભી રહેશે.એકસ્ટ્રા કોચ ટ્રેન નં.૧૯૧૧૯/૧૯૧૨૦ સોમનાથ-અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ, ટ્રેન નં. ૦૯૫૧૩/૦૯૫૧૪ વેરાવળ-રાજકોટ-વેરાવળ સ્પેશિયલ, ટ્રેન નં. ૧૯૨૦૭/૧૯૨૦૮ પોરબંદર-સોમનાથ-પોરબંદર એક્સપ્રેસ અને ટ્રેન નં. ૦૯૫૨૨/૦૯૫૨૧ રાજકોટ-સોમનાથ-રાજકોટ પેસેન્જર સ્પેશિયલમાં વધારાના કોચ લગાડવામાં આવશે તેમ અધીકારીએ યાદીમાં જણાવેલ છે.






Latest News