મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે
Breaking news
Morbi Today

રાજ્યમાં વ્યાજબી ભાવનાં પરવાનેદારોએ પડતર પ્રશ્નોને ઉકેલવા બનાવ્યું ત્રીજા સંગઠ્ઠન


SHARE











રાજ્યમાં વ્યાજબી ભાવનાં પરવાનેદારોએ પડતર પ્રશ્નોને ઉકેલવા બનાવ્યું ત્રીજા સંગઠ્ઠન

રાજ્યમાં વ્યાજબી ભાવનાં પરવાનેદારોએ ત્રીજા સંગઠ્ઠનનું રણશીંગું ફૂક્યું છે અને વર્તમાન સંગઠ્ઠનો નોંધપાત્ર પરીણામ નહીં મેળવી શક્તા આ નિર્ણય લેવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે રાજ્યના વ્યાજબી ભાવના પરવાનેદારોની બેઠક યોજાયેલ હતી અને તેમાં રાજ્યભરમાંથી જીલ્લા અને તાલુકાનાં અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા જેમાં મોરબી જિલ્લાના જુદાજુદા તાલુકામાંથી પણ ઘણા પરવાનેદારો જોડાયા હતા અને પરવાનેદારોનાં વિવિધ પ્રશ્ર્નો અંગે ચર્ચા વિચારણાઓ થયેલ હતી ત્યારે ખાસ કરીને પોષણક્ષમ કમીશન, કોરોના મૃતકના પરિવારને આર્થિક સહાય, ડબલ ફિંગર પ્રિન્ટ, સર્વર ડાઉન, ઘટ મજરે લેવા, પરવાનેદારોની વારસાઇની પેન્ડીંગ ફાઇલ સહિતના વિવિધ પ્રશ્ર્નો અંગે વર્તમાન સંગઠ્ઠનો કોઇ નોંધપાત્ર પરિણામ મેળવી શક્યા નથી તેનો  વિરોધ વ્યક્ત થયેલો હતો અને નવા સંગઠ્ઠનની રચના કરી તેઓનાં વિવિધ પ્રશ્ર્ને સરકારમાં નવું સંગઠ્ઠન રજૂઆત સાથે કાર્યરત થશે તેવો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવેલ છે અને રાજ્યમાં વ્યાજબી ભાવનાં પરવાનેદારોએ સર્વાનુમતે ત્રીજા સંગઠ્ઠન બનાવ્યું છે અને તેમાં પરવાનેદાર આગેવાનોએ શંખનાદ સાથે વફાદારી અને સંપૂર્ણ નિષ્ઠા પૂર્વક સાથે રહેવાના શપથ લીધા હતા






Latest News