હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબીમાં નવા બસ સ્ટેન્ડ પાસેથી બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલકની ધરપકડ


SHARE











મોરબીમાં નવા બસ સ્ટેન્ડ પાસેથી બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલકની ધરપકડ

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડ પાસેથી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે રાજકોટ લઈને ગયા હતા ત્યાં યુવાનનું મોત નીપજયું હતું જેથી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલકની પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શ્રીજી પાર્ક સોસાયટીમાં રહેતા કિશોરભાઈ દેવરાજભાઈ ફેફર (૪૩) મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડ પાસેથી બાઇક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે તેને હડફેટે લેતા વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઈજા થવાથી કિશોરભાઈને પ્રાથમિક સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજયું હતું અને અકસ્માતના આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ પી.આર. સોનારાને તપાસ સોંપવામાં આવી હતી અને સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ કરીને અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર વાહન ચાલક રૈયાભાઈ સરમણભાઈ કોડીયાતર જાતે રબારી (ઉમર ૫૯) રહે. દેગામ તા.જી. પોરબંદર વાળાની અટકાયત કરવામાં આવી હતી.

ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી

મોરબી પંથકમાં ભારે માત્રામાં ખનીજ પરિવહન થાય છે અને જેમાં ખનીજ ચોરીનું પ્રમાણ પણ ખૂબ મોટું છે ત્યારે કામગીરી બતાવવા માટે સમયાંતરે સંલગ્ન વિભાગ દ્રારા વાહનો પકડવામાં આવતા હોય છે.દરમિયાનમાં મોરબી રોયલ્ટી ઇન્સ્પેક્ટર આર.કે.કણસાગરા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં વાહન નંબર જીજે ૧૭ યુવી ૮૯૯૮ ના ડ્રાઇવર અરવિંદ ગોવરધન ફિસડિયા રહે.થાનગઢ સુરેન્દ્રનગર તેમજ જીજે ૧૨ બીડબલ્યુ ૯૪૫૨ ના ડ્રાઈવર નાગજી મકવાણાને દંડ વસૂલવા માટે મેમો આપીને વાહનો પોલીસ હવાલે કર્યા હતા. તેમજ ખાણ ખનીજ વિભાગના એમ.આર.ગોજીયા દ્વારા મોરબીના વાંકાનેર હાઇવે લાલપર ગામ પાસેથી હાર્ડ મોરમ ભરેલ વાહન નંબર જીજે ૩૬ વી ૭૦૫૫ સાથે પાટડીયા કરશન પ્રભુભાઇ રહે.કોળીવાસ માળીયા મીંયાણા તથા જીવણ દેવજીભાઇ રહે.શક્તિનગર મોરબી વાળાને મેમો ફટકારી દંડ વસૂલવા અર્થે વાહન તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યું હતું.






Latest News