મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ


SHARE











મોરબીમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ

મોરબી ખાતે  રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વકતવ્યો દ્વારા મતદાન મહાદાન અંગે જાગૃતિ ફેલાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા નાટિકા તેમજ વકતવ્ય રજૂ કરવામાં આવ્યા હતા. સાર્થક વિદ્યાલયની પલક પીપળીયાએ ‘લોકશાહીનું બળ જનતા’ વિષય પર વક્તવ્ય રજૂ કરતાં જણાવ્યું હતું કે, આ લોકશાહીનું સાચું બળ આપણે સૌ છીએ. ચૂંટણીને ઘરનો પ્રસંગ સમજીને તેમાં સહભાગી થવાની વાત પણ તેણે કરી હતી. લોકશાહીના ઉદભવથી લઈને તેના મહત્વની પણ વાત કરતા તેણે જણાવ્યું હતું કે, જનતા થકી જ એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ થાય છે. વધુમાં તેણે મતદારોને લોકશાહીના હૃદય સમાં ગણાવ્યા હતા. આમ લોકોને લોકશાહી તેમજ મતદાનના મહત્વ અંગે જાગૃત કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા






Latest News