સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીની ફરતે રીંગ રોડ, મચ્છુ નદી ઉપર ચાર બેઠા પુલ કરવા વિહિપના આગેવાનની સીએમને સૂચન


SHARE











મોરબીની ફરતે રીંગ રોડ, મચ્છુ નદી ઉપર ચાર બેઠા પુલ કરવા વિહિપના આગેવાનની સીએમને સૂચન

મોરબીમાં ટ્રાફીક સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે ટ્રાફીક સમસ્યા ઉકેલવા માટે મોરબીના સામાજીક કાર્યકર અને વિહિપના આગેવાનસીએમને રજુઆત કરી છે અને મોરબી ફરતે રીંગ રોડ, મચ્છુ નદી ઉપર ચાર નવા બેઠા પુલ બનાવવા માટે સૂચન કર્યું છે

મોરબીમાં રહેતા સામાજીક કાર્યકર અને વિહિપના આગેવાન હસમુખભાઈ ગઢવીટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે સીએમને રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના ઔદ્યોગીક વિકાસને ધ્યાને રાખીને ફરતે રીંગ રોડ બને તો ભારે વાહનોને શહેરમાં આવવાનું જ ન રહે અને બારોબાર તેની નીકળી જશે આવી જ રીતે મચ્છુ નદી ઉપર ચાર સ્થળે બેઠા પુલ કરવામાં આવે તો લોકોની સુખાકારીમાં વધારો થાય તેમ છે જેમાં જુના સ્મશાનથી ઉમા ટાઉનશીપ, કાલીકા ઘાટથી મહાપ્રભુજીની બેઠક, રામઘાટથી સામાકાંઠે ન્યુ પેલેસ રોડ અને ભડીયાદ રોડથી લીલાપર રોડનો સમાવેશ થાય છે અને નગરપાલીકા-જીલ્લા પંચાયત હસ્તકનાં રોડ-રસ્તાના પ્રોજેકટ વહેલી તકે પૂરા કરવા તેમજ નટરાજ ફાટક, ઉમીયા સર્કલ, કુબેરનગર પાસે નવલખી ફાટક પાસે ઓવરબ્રીજ બનાવાની પણ માંગ કરી છે.

મોરબીથી જેત૫૨ અને મોરબીથી હળવદ ફોરલેનનું કામ મંજૂર કરી દેવામાં આવ્યું છે જો કે, આ કામ વહેલી તકે ચાલુ થાય, છેલ્લા ઘણા વર્ષોથી જુના ઓવરબ્રીજનાં કામ ચાલે છે તે વહેલી તકે પૂરા કરવામાં આવે, ગામોને જોડતાં ગાડા માર્ગ વહેલી તકે આર.સી.સી. બનાવવાનું પણ સૂચન કર્યું છે મોરબીથી રાજય સરકારને ટેકસ બહોળા પ્રમાણમાં આપવામ આવે છે. ત્યારે લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે વહેલી તકે હાલમાં કરવામાં આવેલ સૂચનનું અમલીકરણ કરવામાં આવે તે જરૂરી છે 






Latest News