મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સુલ્તાનપુર ગામે રહેતા યુવાન પાસેથી પઠાણી વ્યાજની ઉઘરાણી કરનારા બે સામે ફરિયાદ: એકની ધરપકડ


SHARE







માળીયા (મી)ના સુલ્તાનપુર ગામે રહેતા યુવાન પાસેથી પઠાણી વ્યાજની ઉઘરાણી કરનારા બે સામે ફરિયાદ: એકની ધરપકડ

માળીયા (મી) તાલુકાના સુલતાનપુર ગામે રહેતા યુવાને હાલમાં બે શખ્સોની સામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરતાં હોવાની અને બળજબરીથી તેનું ટ્રેક્ટર લઈ ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે તેમજ આરોપીઓ દ્વારા તેને ધાક ધમકીઓ આપવામાં આવતી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને વ્યાજખોરની સામે માળિયાની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા મીયાણા તાલુકાના સુલતાનપુર ગામે રહેતા ભુપતભાઈ ભગવાનજીભાઈ દસડીયા જાતે પટેલ (૪૬) એ હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અમુભાઈ પ્રભાતભાઈ રાઠોડ તથા દેવીસિંહ પ્રતાપસિંહ ગઢવી રહે. મોરબીવાળાની સામે વ્યાજ બાબતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે અમુભાઈ પાસેથી તેણે માસિક પાંચ ટકા લેખે અઢી લાખ રૂપિયા લીધા હતા અને દેવીસિંહ પાસેથી તેણે પાંચ ટકા લેખે દોઢ લાખ રૂપિયા લીધા હતા અને આરોપી અમુભાઇએ તેની પાસેથી બે કોરા ચેકમાં સહી કરાવી હતી તેમજ દેવીસિંહને તેનું માલિકીનું ટ્રેકટર બળજબરીથી લઈ લીધું છે તથા વ્યાજની પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે અને ગાળો આપીને ધાક ધમકી આપી રહ્યા છે જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વ્યાજખોરોની સામે ગુનો નોંધીને હાલમાં અમુભાઈ પ્રભાતભાઈ રાઠોડની ધરપકડ કરેલ છે અને દેવીસિંહ પ્રતાપસિંહ ગઢવીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News