મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી પાસે કન્ટેનર પલ્ટી મારી ડીવાઇડર પર ચડી ગયું, ચારને ઇજા


SHARE











મોરબીના ટીંબડી પાસે કન્ટેનર પલ્ટી મારી ડીવાઇડર પર ચડી ગયું, ચારને ઇજા

મોરબીના માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટીયા પાસે હાઇવે રોડના ડિવાઈડર ઉપર કન્ટેનર ચડી ગયું હતું.મોરબીના ટીંબડી ગામના પાટીયા નજીક સાંજના સમયે મોરબી બાજુ જતું કન્ટેનર અચાનક રોડ ઉપર પલ્ટી મારી ગયું હતું.કન્ટેનર રોડની વચ્ચેના ડિવાઈડર ઉપર ચડી ગયું હોય અને રોડની બંને સાઈડ કન્ટેનર આવી જતા થોડા સમય માટે ટ્રાફિકજામ સર્જાયો હતો.જો કે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ હોવાના સમાચાર મળેલ નથી.

વધુમાં મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળીયા હાઇવે ટીંબડી ગામના પાટીયા પાસે કન્ટેનર ટ્રક પલટી મારી ગયો હતો જે બનાવમાં જોગેન્દ્રભાઈ બિરાજીભાઈ મુખીયા (૩૬), અભેરૂન મોહમ્મદ ઈસ્માઈલ (૨૬), દીપક લખનમુખીયા (૪૨) અને રાજુ હીરાભાઈ હળવાઈ (૧૮) રહે.બધા કુવાડવા સી.કે.જીન કારખાનામાં વાળાઓને ઈજા પહોંચી હતી જેથી ચારેયને પ્રથમ ટંકારા હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવાયા બાદ ચારેયને વધુ સારવાર માટે રાજકોટ સીવીલે એડમિટ કરાયા હતા.જેથી રાજકોટ ખાતે પોલીસમાં નોંધ થતા ત્યાંથી મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવેલ હોય હાલ તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અત્રે નોંધનીય છે કે મોરબીના માળિયા મિંયાણા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટીયાથી વાંકાનેર હાઈવે સુધી આવેલ વઘાસીયા ટોલનાકા વચ્ચે ભારે મોટી માત્રામાં ભાર વાહનોની અવરજવર રહે છે અને અનેક જગ્યાએ મુખ્ય હાઇવે અને સર્વિસ રોડ ઉપર ભયજનક વણાંકો હોવાના લીધે તેમ જ મનફાવે તેમ હાઇવે ઉપર ડિવાઈડર તોડીને રસ્તા કાઢવામાં આવ્યા હોવાના લીધે અકસ્માતો સર્જાય છે માટે હાઇવે ઓથોરિટી દ્રારા ખાસ કિસ્સામાં સર્વે કરાવીને એક ગામથી બીજા ગામ સુધી મુખ્ય હાઇવે ઉપર કોઈપણ ગેપ ન રહે અને એક ગામથી બીજે ગામ સુધી હાઇવે ઉપરના તમામ રસ્તાઓ બંધ કરી ગામની મુખ્ય જગ્યાએ સર્કલ બનાવવામાં આવે તો આવા અકસ્માતો નિવારી શકાય તેમ છે.






Latest News