મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પિતરાઇ બહેનના શ્રીમંતમાં જવાની પતિએ ના કહેતા પરિણીતાએ કર્યો આપઘાત


SHARE







વાંકાનેરમાં પિતરાઇ બહેનના શ્રીમંતમાં જવાની પતિએ ના કહેતા પરિણીતાએ કર્યો આપઘાત

વાંકાનેર શહેરમાં આવેલ મન મંદિર સોસાયટીમાં રહેતી પરિણીતાની પિતરાઈ બહેનના ઘરે શ્રીમંતનો પ્રસંગ હતો અને તેના પતિએ ત્યાં જવાની ના પાડી હતી જેથી કરીને પરણીતાને લાગી આવતા પરિણીતાએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી દીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ મન મંદિર સોસાયટીમાં રહેતા દિલીપભાઈ મોનાભાઈ લામકાના પત્ની અમુબેન લામકા (૨૮) પોતાના ઘરે હતા ત્યારે બપોરના સમયે ગળાફાંસો ખાઈને તેને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને ઘનશ્યામભાઈ મોનાભાઈ લામકા વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આપઘાતના આ બનાવની વાંકાનેરની સરકારી હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં આ બનાવની આગળની તપાસ કરી રહેલા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વાલજીભાઈ રામજીભાઈ પરમાર સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે મૃતક પરણીતાના પરિવારજનો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ગઈકાલે મૃતક મહિલાની માસીની દીકરીના ઘરે શ્રીમંતનો પ્રસંગ હતો અને તેના ઘરે નૈવેધ હતા જેથી મૃતક મહિલાના પતિએ શ્રીમંતના પ્રસંગમાં જવાની ના પાડી હતી અને ત્યારબાદ તે પોતાના કામે જતો રહ્યો હતો અને દરમિયાન પરણીતા તેના ઘરે હતી ત્યારે તેને ગળાફાંસો ખાઈને આપઘાત લીધેલ છે હાલમાં પોલીસે આ બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

દારૂની બે બોટલ સાથે પકડાયો

ટંકારા તાલુકામાં પ્રભુચરણ આશ્રમથી કલ્યાણપર જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૬૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે હરેશભાઈ ખીમજીભાઈ ગોપાણી જાતે પટેલ (ઉંમર ૪૨) રહે. કલ્યાણપર વાળાની ધરપકડ કરેલ છે






Latest News