તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી પાલિકાને સરકારની કારણદર્શક નોટિસ: ૨૫ મી પહેલા જવાબ આપવા આદેશ


SHARE











મોરબી પાલિકાને સરકારની કારણદર્શક નોટિસ: ૨૫ મી પહેલા જવાબ આપવા આદેશ

મોરબીમાં ઝુલતો પુલ તૂટવાની ઘટનાને લઈને પાલિકાને સુપરસિડ કરવાની વાતો ઘણા સમયથી કરવામાં આવી રહી છે તેવામાં હાલમાં સરકારે પાલિકાના પ્રમુખને કારણદર્શક નોટિસ આપેલ છે અને આગામી ૨૫ મી તારીખ સુધીમાં જનરલ બોર્ડ બોલાવીને જવાબ આપવા માટેનો આદેશ કર્યો છે જેથી કરીને રાજકારણમાં ગરમાવો આવેલ છે.

મોરબીમાં ઝૂલતો પુલ પાડવાના લીધે ૧૩૫ લોકોએ તેને જીવ ગુમાવ્યા છે ત્યારે આ મુદે હાઇકોર્ટમાં સુઓમોટો અને રીટ પિટિશનની સુનાવણી ચાલી રહી છે બીજી બાજુ આ પાલિકાને સુપરસીડ કરવા માટેની દરખાસ્ત સરકારમાં મોકલાવવા આવી હતી જેથી કરીને હાલમાં સરકારે મોરબી પાલિકાના પ્રમુખને પાલિકાને સુપરસિડ કરવા મામલે કારણદર્શક નોટિસ આપેલ છે અને આગામી તા ૨૫ મી સુધીમાં જનરલ બોર્ડની બેઠક બોલાવીને સરકારમાં જવાબ રજૂ કરવા માટે જણાવ્યુ છે જેથી આગામી તા ૨૫ પહેલા પાલિકામાં જનરલ બોર્ડની બેઠક હવે ફરજિયાત બોલાવવી પડશે 






Latest News