વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના શુક્રવારે સહકારી અગ્રણીઓનું સંમેલન યોજાશે


SHARE











મોરબીના શુક્રવારે સહકારી અગ્રણીઓનું સંમેલન યોજાશે

મોરબી સહકાર ભારતીની શાખા દ્વારા સહકાર ભારતીના સ્થાપના દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૧૨ જાન્યુ.થી ૨૦ જાન્યુઆરી સુધી સહકાર સપ્તાહનું આયોજન કરવામાં આવે છે ત્યારે આગામી ૨૦ જાન્યુઆરીના રોજ મોરબી જિલ્લાના સહકારી અગ્રણીઓનું સંમેલન રાખવામા આવ્યું છે


મોરબીમાં જે સંમેલન યોજવાનું છે તે ૨૦ જાન્યુઆરીને શુક્રવારના રોજ સવારે ૯ કલાકે ધન્વંતરિ ભવન કાયાજી પ્લોટના ખાતે યોજાશે જેમાં ડો. જે.એસ. ભાડેશિયા (સંઘ સંચાલક પશ્ચિમ ક્ષેત્ર)ના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવશે. તેમજ મુખ્ય મહેમાન તરીકે મોરબી-માળીયના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહેવાના છે ત્યારે સહકાર ભારતી પરિવારની બુકલેટનું વિમોચન કરશે. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે માર્કેટિંગ યાર્ડ મોરબીના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવીયા, કેશવ કો.ઓ.ક્રેડિટ સોસાયટીના ચેરમેન ડી.એમ. બાવરવા, સહકાર ભારતી મોરબીના પૂર્વ પ્રમુખ અનિલભાઈ મહેતા અને રાજકોટ નાગરિક બેંકના ચેરમેન દિપકભાઈ બકરાણીયા હાજર રહેવાના છે ત્યારે મોરબી જિલ્લાના સહકારી ક્ષેત્રે જે તે સહકારી બેંક મંડળી સેવા સહકારી ક્ષેત્રે જે તે સંસ્થાના પ્રમુખ, પ્રતિનિધિ અથવા સભ્યો કે હોદ્દેદારો અને સહકાર ભારતીના તમામ કાર્યકરો હાજર રહેશે તેવું પ્રમુખ ડો. બી.કે. લહેરૂએ જણાવ્યુ છે

કેન્સર નિદાન કેમ્પ યોજાશે

મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ ડી.સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ખાતે સ્વ. વસંતભાઈ પારેખ, ચંપાબેન પારેખ, અંજનાબેન અને ભારતીબેનના સ્મરણાર્થે નીતિનભાઈ પારેખ અને ડો. પરિમલ પારેખ તરફથી તા. ૨૧ને શનિવારે સાંજે ૪ થી ૭ અને તા. ૨૨ ને રવિવારે સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી વિનામૂલ્યે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત ડો.વિક્રમ સંઘવી કેન્સરના દર્દીઓને વિનામૂલ્યે તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે. જેથી કરીને આ કેમ્પનો લાભ લેવા માટે સંસ્થા મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહે કહ્યું છે






Latest News