મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના શુક્રવારે સહકારી અગ્રણીઓનું સંમેલન યોજાશે


SHARE











મોરબીના શુક્રવારે સહકારી અગ્રણીઓનું સંમેલન યોજાશે

મોરબી સહકાર ભારતીની શાખા દ્વારા સહકાર ભારતીના સ્થાપના દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૧૨ જાન્યુ.થી ૨૦ જાન્યુઆરી સુધી સહકાર સપ્તાહનું આયોજન કરવામાં આવે છે ત્યારે આગામી ૨૦ જાન્યુઆરીના રોજ મોરબી જિલ્લાના સહકારી અગ્રણીઓનું સંમેલન રાખવામા આવ્યું છે


મોરબીમાં જે સંમેલન યોજવાનું છે તે ૨૦ જાન્યુઆરીને શુક્રવારના રોજ સવારે ૯ કલાકે ધન્વંતરિ ભવન કાયાજી પ્લોટના ખાતે યોજાશે જેમાં ડો. જે.એસ. ભાડેશિયા (સંઘ સંચાલક પશ્ચિમ ક્ષેત્ર)ના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવશે. તેમજ મુખ્ય મહેમાન તરીકે મોરબી-માળીયના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહેવાના છે ત્યારે સહકાર ભારતી પરિવારની બુકલેટનું વિમોચન કરશે. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે માર્કેટિંગ યાર્ડ મોરબીના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવીયા, કેશવ કો.ઓ.ક્રેડિટ સોસાયટીના ચેરમેન ડી.એમ. બાવરવા, સહકાર ભારતી મોરબીના પૂર્વ પ્રમુખ અનિલભાઈ મહેતા અને રાજકોટ નાગરિક બેંકના ચેરમેન દિપકભાઈ બકરાણીયા હાજર રહેવાના છે ત્યારે મોરબી જિલ્લાના સહકારી ક્ષેત્રે જે તે સહકારી બેંક મંડળી સેવા સહકારી ક્ષેત્રે જે તે સંસ્થાના પ્રમુખ, પ્રતિનિધિ અથવા સભ્યો કે હોદ્દેદારો અને સહકાર ભારતીના તમામ કાર્યકરો હાજર રહેશે તેવું પ્રમુખ ડો. બી.કે. લહેરૂએ જણાવ્યુ છે

કેન્સર નિદાન કેમ્પ યોજાશે

મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ ડી.સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ખાતે સ્વ. વસંતભાઈ પારેખ, ચંપાબેન પારેખ, અંજનાબેન અને ભારતીબેનના સ્મરણાર્થે નીતિનભાઈ પારેખ અને ડો. પરિમલ પારેખ તરફથી તા. ૨૧ને શનિવારે સાંજે ૪ થી ૭ અને તા. ૨૨ ને રવિવારે સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી વિનામૂલ્યે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત ડો.વિક્રમ સંઘવી કેન્સરના દર્દીઓને વિનામૂલ્યે તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે. જેથી કરીને આ કેમ્પનો લાભ લેવા માટે સંસ્થા મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહે કહ્યું છે






Latest News