મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબી સિરામિક એસો. સહિતના સંગઠનો દ્વારા કાલે જિલ્લાના પાંચેય ધારાસભ્યોનું કરાશે સન્માન


SHARE







મોરબી સિરામિક એસો. સહિતના સંગઠનો દ્વારા કાલે જિલ્લાના પાંચેય ધારાસભ્યોનું કરાશે સન્માન

મોરબી સીરામીક એસો. સહિતના સંગઠનો દ્વારા કાલે શનાળા પાસે આવેલ પટેલ સમાજ વાડી ખાતે મોરબી જિલ્લાના પાંચેય ધારાસભ્યનો સન્માન સમારોહ રાખવામા આવેલ છે જેમાં કાંતિભાઈ અમૃતિયા, દુલર્ભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા તેમજ મેઘજીભાઈ ચાવડાનું સન્માન કરવામાં આવશે અને આ કાર્યક્રમ આમંત્રિત મહેમાનો પૂરતો મર્યાદિત છે

મોરબી જિલ્લાના ભાજપના પાંચેય ઉમેદવારોએ ચુંટણીમાં ભવ્ય જીત મેળવી છે અને ધારાસભ્ય બન્યા છે. ત્યારે મોરબી સીરામીક એસો. સહિતના ઔદ્યોગિક સંગઠનો દ્વારા તેમના સન્માન માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લાના ધારાસભ્યો હકારાત્મક અભિગમ સાથે સતત પ્રયત્નશીલ રહે છે. જેથી કરીને કાલે તા ૧૯ ને ગુરુવારે બપોરે ૩:૩૦ કલાકે શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે કાર્યક્ર્મ રાખવામા આવેલ છે આ તકે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુલર્ભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા તેમજ મેઘજીભાઈ ચાવડાનું સન્માન કરવામાં આવશે ત્યારે જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, ઉધોગકાર સવજીભાઈ ધોળકિયા, સાંસદ વિનોદભાઈ ચાવડા અને મોહનભાઈ કુંડારિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા સહિતના હાજર રહેવાના છે






Latest News