મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી સિરામિક એસો. સહિતના સંગઠનો દ્વારા કાલે જિલ્લાના પાંચેય ધારાસભ્યોનું કરાશે સન્માન


SHARE











મોરબી સિરામિક એસો. સહિતના સંગઠનો દ્વારા કાલે જિલ્લાના પાંચેય ધારાસભ્યોનું કરાશે સન્માન

મોરબી સીરામીક એસો. સહિતના સંગઠનો દ્વારા કાલે શનાળા પાસે આવેલ પટેલ સમાજ વાડી ખાતે મોરબી જિલ્લાના પાંચેય ધારાસભ્યનો સન્માન સમારોહ રાખવામા આવેલ છે જેમાં કાંતિભાઈ અમૃતિયા, દુલર્ભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા તેમજ મેઘજીભાઈ ચાવડાનું સન્માન કરવામાં આવશે અને આ કાર્યક્રમ આમંત્રિત મહેમાનો પૂરતો મર્યાદિત છે

મોરબી જિલ્લાના ભાજપના પાંચેય ઉમેદવારોએ ચુંટણીમાં ભવ્ય જીત મેળવી છે અને ધારાસભ્ય બન્યા છે. ત્યારે મોરબી સીરામીક એસો. સહિતના ઔદ્યોગિક સંગઠનો દ્વારા તેમના સન્માન માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લાના ધારાસભ્યો હકારાત્મક અભિગમ સાથે સતત પ્રયત્નશીલ રહે છે. જેથી કરીને કાલે તા ૧૯ ને ગુરુવારે બપોરે ૩:૩૦ કલાકે શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે કાર્યક્ર્મ રાખવામા આવેલ છે આ તકે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુલર્ભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા તેમજ મેઘજીભાઈ ચાવડાનું સન્માન કરવામાં આવશે ત્યારે જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, ઉધોગકાર સવજીભાઈ ધોળકિયા, સાંસદ વિનોદભાઈ ચાવડા અને મોહનભાઈ કુંડારિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા સહિતના હાજર રહેવાના છે






Latest News