મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને ૩૦ ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનાર ત્રણ પૈકી બે આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં યુવાનને ૩૦ ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનાર ત્રણ પૈકી બે આરોપીની ધરપકડ

મોરબીની તિરૂપતિ સોસાયટીમાં રહેતા યુવાનને ૩૦ ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને તેની પાસેથી વ્યાજ અને મુદલની પઠાણી ઉઘરાણી કરનારા ત્રણ શખ્સોની સામે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને યુવાને ફરિયાદ નોંધાવી હતી જે પૈકીનાં એક આરોપીની પોલીસે ધરપકડ કરેલ છે અને બીજા બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

મોરબીના વજેપર આલાપ રોડ ઉપર આવેલ તિરૂપતિ સોસાયટીમાં રહેતા જેઠાભાઈ જીવરાજભાઈ સોનગ્રા જાતે સતવારા (ઉમર ૩૨) એ થોડા દિવસો પહેલા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અશોકભાઈ રબારી રહે. શનાળા, સુરેશભાઈ ખાખરાળા વાળા અને વિમલભાઈ વાણંદ રહે.માધાપર વાળાઓની સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓ પાસેથી તેણે ઉંચા વ્યાજે પૈસા લીધા હતા જેમાં અશોક રબારી પાસેથી ૩ લાખ રૂપિયા ૩૦ ટકા લેખે લીધા હતા જેની સામે ૫.૪૦ લાખ રૂપિયા તેને આપી દીધેલ છે અને સુરેશભાઈ પાસેથી તેણે બે લાખ રૂપિયા માસિક રૂપિયા ૩૦ ટકાના વ્યાજે લીધા હતા અને તેની સામે ૧.૨૦ લાખ ચૂકવી દીધા છે તેમજ વિમલભાઈ પાસેથી દોઢ લાખ રૂપિયા ૧૨ ટકાના વ્યાજે લીધા હતા જેની સામે તેને ૫.૯૦ લાખ રૂપિયા પેનલ્ટી સહિત ચૂકવી દીધા હોવા છતાં પણ આરોપીઓ જેમફાવે તેમ ગાળો આપીને પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે અને આ આરોપીઓએ ફરિયાદ પાસેથી કોટક મહિન્દ્રા બેન્કના કોરા ચેકમાં બળજબરીપૂર્વક સહી કરાવીને પઠાણી ઉઘરાણી કરી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે આરોપીઓ પૈકીના અશોકભાઇ ખોડાભાઈ ખાંભલા જાતે રબારી (ઉમર ૪૨) રહે.શનાળા તેમજ વિમલ ઇન્દુભાઇ લાંઘણોજા જાતે વાણંદ (ઉમર ૩૫) રહે.માધાપરા શેરી નંબર-૨૨ મોરબી વાળાઓની ધરપકડ કરેલ છે અને બાકી રહેલ સુરેશભાઇ રહે.ખાખરાળાને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

શંકાસ્પદ બાઈક સાથે પકડાયેલ આદિવાસી ઇશમની ઉલટ તપાસ શરૂ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા તથા સ્ટાફના માણસો મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર રાઉન્ડમાં હતા તે દરમિયાનમાં શકમંદ જણાતા ઈસમને અટકાવીને તેની પાસે રહેલ બાઈકના કાગળો માંગવામાં આવ્યા હતા જેથી યુવાન ગલ્લાંતલ્લાં કરવા લાગ્યો હતો ત્યારે કલમ ૪૧(૧)ડી મુજબ બાઈકને જપ્ત કરીને તેની સાથે મળી આવેલ અજય ઉર્ફે વિજય સેમલાભાઈ માવી જાતે આદિવાસી (ઉમર ૨૨) ધંધો મજૂરી કામ હાલ રહે. મચ્છુ નદીના પટમાં સામાકાંઠે મોરબી-૨ મૂળ રહે બીછીયા તા.સરદારપુર જી.ધાર મધ્યપ્રદેશ વાળાને તેની પાસે રહેલ બાઈક અંગે પૂછતાછ કરવામાં આવતા તેણે જણાવ્યું હતું કે તેણે આ બાઇક તેના જુનાગઢ પાસે રહેતા કોઈ મિત્ર પાસેથી વાપરવા લીધુ છે.જોકે પોલીસે પોકેટકોપ એપ્લિકેશન દ્વારા વાહનના એન્જિન-ચેસીસ નંબર નાંખીને તપાસ કરતા મૂળ માલીકનો સંપર્ક કરવામાં આવ્યો હતો જોકે મૂળ માલિકે ૨૦૧૫ માં તેમનું બાઇક ગાંધીધામના કોઈ હરભજનસિંહને વહેંચી લીધુ હોવાની વાત કરી હતી હાલ ગાંધીધામના હરભજનસિંહનો સંપર્ક કરીને તેણે જૂનાગઢના કોઈ ઇશમને આ બાઈક વેચ્યું છે કે કેમ તેનું વેરિફિકેશન કરવા માટે પોલીસે તપાસનો દોર આગળ લંબાવ્યો છે.






Latest News