તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુદ્ધે ચડેલા બે આખલા બાઇક સાથે અથડાતાં બાઇક સવાર યુવાનને ઇજા થતાં સારવારમાં ખસેડાયો


SHARE











વાંકાનેરમાં યુદ્ધે ચડેલા બે આખલા બાઇક સાથે અથડાતાં બાઇક સવાર યુવાનને ઇજા થતાં સારવારમાં ખસેડાયો

વાંકાનેર શહેરમાં રાજકોટ રોડ ઉપર આવેલ દોશી કોલેજ પાસે બે આખલા બાખડતા હતા અને ત્યથી બાઈક લઈને જતા યુવાન સાથે અથડાયા હતા જેથી કરીને ઈજા પામેલ યુવાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની પ્રથમ મોરબી પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના આંબેડકર નગરમાં રહેતા મનુભાઈ નથુભાઈ સોલંકી (૪૮) નામનો યુવાન વાંકાનેરમાં આવેલ દોશી કોલેજ પાસેથી પસાર થતો હતો ત્યારે રાજકોટ રોડ ઉપર બે આખલા બાખડતા બાખડતા મનુભાઈ સોલંકીના બાઈક સાથે અથડાયા હતા જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે અકસ્માતના બનાવવામાં મનુભાઈ સોલંકીને ઇજાઓ થઈ હોવાથી તેને મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળિયા ફાટક ચોકડી પાસે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની પ્રથમ મોરબી પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ સ્થાનિક પોલીસની જાણ કરવા માટેની પોલીસે કવાયત હાથ ધરી હતી

મારા મારીમાં ઇજા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં જયદીપ ભવાનભાઈ સિંધવ (ઉંમર ૧૮) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસે જાણ કરતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર મારામારીનો બનાવ બન્યો હતો જેમાં જીનલબેન મામદભાઈ સંતવાણી (૩૫), અલ્તાફ અનવરભાઈ ભટ્ટી (૧૫) નૂરબાઈ જૂસબ જામ (૫૦), ગુલશનબેન અનવરભાઈ ભટ્ટી (૩૫) અને આરીફ અનવરભાઈ ભટ્ટી (૧૬) ને ઇજાઓ થઈ હોવાથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ ગયા હતા અને મારામારીના આ બનાવની મોરબી સીટી બી ડિવિજન પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News