મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ
Breaking news
Morbi Today

મોરબીમાં કરોડોની જીએસટીની ચોરીમાં આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં કરોડોની જીએસટીની ચોરીમાં આરોપીની ધરપકડ

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે જીએસટી વિભાગના અધિકારી દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ માં નોંધાવવામાં આવેલી ગુજરાત મૂલ્યવેરા અધિનિયમ ૨૦૦૩ ની કલમ ૮૫(૧)ડીજી મુજબની કલમો હેઠળના ગુનામાં કરોડો રૂપિયાની જીએસટી ચોરી કરીને સરકારને ચૂનો લગાવવામાં આવ્યો હોવાનો બનાવ નોંધાયો હતો જે ફરિયાદમાં આરોપી નાસ્તો ફરતો હતો દરમિયાનમાં આરોપી આગોતરા જામીન સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસમાં હાજર થતા પીઆઇ દેકાવડીયા દ્વારા રાજ્ય સરકારના જીએસટી વિભાગની સાથે કરોડોની છેતરપિંડી કરવાના ઉપરોક્ત બનાવવામાં યુનુસઝીયા જીયાઉલ્લ શરીફ (ઉમર ૫૪) ધંધો બિલ્ડર રહે.ગોલ્ડન એંકલેવ એરપોર્ટ રોડ બેંગ્લોર કર્ણાટક વાળાની ધરપકડ કરી હતી અને કોર્ટ તરફથી તેને આગોતરા જામીન આપવામાં આવ્યા હોય જરૂરી કાર્યવાહી કરીને પોલીસ દ્વારા તેને જામીનમુક્ત કરાયો હતો.જ્યારે મોરબીના મહેન્દ્રનગર ગામે આઈટીઆઈ વાળી શેરીમાં રહેતા ચિરાગ ભાઈલાલ જોશી નામના ૨૨ વર્ષના યુવાનને તેના ઘરની પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.

મારામારી એસ્ટ્રોસિટીમાં ધરપકડ

મોરબીના રફાળેશ્વર ગામે નજીવી વાતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને જેની તપાસ દરમિયાન એસસીએસટી સેલના ડીવાયએસપી પી.એસ.ગોસ્વામી દ્વારા હાલમાં મારામારી અને એટ્રોસિટીના કેસમાં ગૌતમ જયંતીભાઈ મકવાણા (૩૪) રહે. પ્રકાશનગર લીલાપર તા.જી.મોરબીની ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના માટેલ રોડ ઉપર આવેલ આઈકોન ગ્રેનાઇટ્રો નામના કારખાનામાં કામ દરમિયાન પડી જતા બીસુભાઈ આદિવાસી નામના ૫૮ વર્ષના આધેડને ઇજાઓ પહોંચી હોય તેમને શહેરની નક્ષત્ર હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા.

ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી

મોરબીમાં ખનીજ ચોરીએ નવી વાત નથી ત્યારે સમયાંતરે કામગીરી બતાવવા માટે વિભાગ દ્વારા કામ કરવામાં આવે છે જે મુજબ માઇન સુપરવાઇઝર એમ.આર.ગોજીયા દ્વારા વાહન નંબર જીજે ૩૬ વાય ૧૮૯૬ માં બિન અધિકૃત ખનીજ પરિવહન કરતા વિશાલ સેલા વિંજુવાડીયા (ઉમર ૨૧) રહે.ભીમગુડા વાંકાનેર જી.મોરબી વાળાને અટકાવી દંડ વસૂલવાની કાર્યવાહી અર્થે વાહન પોલીસ હવાલે કરાયું હતુ






Latest News