મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે આગામી તા.૩૦ થી દેવી ભાગવત કથા યોજાશે


SHARE







મોરબીના રામધન આશ્રમે આગામી તા.૩૦ થી દેવી ભાગવત કથા યોજાશે

મોરબીના રામધન આશ્રમ ખાતે આગામી તા. ૩૦ જાન્યુઆરીથી દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૩૦ જાન્યુઆરીના રોજ કથા પ્રારંભ થશે અને તા.૭ ફેબ્રુઆરીએ કથા વિરામ લેશે. દેવી ભાગવત કથામાં આવતા વિવિધ પ્રસંગો જેમ કે અંબે પ્રાગટ્ય, ઉમિયા પ્રાગટ્ય શાકંભરી પ્રાગટ્ય, ચામુંડા પ્રાગટ્ય, મહાકાલી પ્રાગટ્ય, શિવ વિવાહ, નંદ ઉત્સવ અને ખોડીયાર પ્રાગટ્ય જેવા પ્રસંગો ધામધુમથી ઉજવાશે.મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલા રામધન આશ્રમ ખાતે તા.૩૦ જાન્યુઆરીથી આ કથા પ્રારંભ થશે કથા સવારે ૯ થી ૧૧ અને બપોરે ૩ થી ૫ કલાક યોજાશે.રામધન આશ્રમ ખાતે આયોજિત દેવી ભાગવત કથામાં બાળ વિદુષી રત્નેશ્વરી દેવી (રતનબેન) ગુરુશ્રી ભાવેશ્વરી માતાજી કથાના વક્તા તરીકે કથાનું રસપાન કરાવશે.આ દેવી ભાગવત કથાનો લાભ લેવા જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ મહેન્દ્રનગરના ભક્તો, તેમજ આશ્રમના સેવક સમુદાય દ્વારા જાહેર જનતાને  નિમંત્રણ પાઠવ્યું છે.
 
 
 





Latest News