વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે આગામી તા.૩૦ થી દેવી ભાગવત કથા યોજાશે


SHARE











મોરબીના રામધન આશ્રમે આગામી તા.૩૦ થી દેવી ભાગવત કથા યોજાશે

મોરબીના રામધન આશ્રમ ખાતે આગામી તા. ૩૦ જાન્યુઆરીથી દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૩૦ જાન્યુઆરીના રોજ કથા પ્રારંભ થશે અને તા.૭ ફેબ્રુઆરીએ કથા વિરામ લેશે. દેવી ભાગવત કથામાં આવતા વિવિધ પ્રસંગો જેમ કે અંબે પ્રાગટ્ય, ઉમિયા પ્રાગટ્ય શાકંભરી પ્રાગટ્ય, ચામુંડા પ્રાગટ્ય, મહાકાલી પ્રાગટ્ય, શિવ વિવાહ, નંદ ઉત્સવ અને ખોડીયાર પ્રાગટ્ય જેવા પ્રસંગો ધામધુમથી ઉજવાશે.મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલા રામધન આશ્રમ ખાતે તા.૩૦ જાન્યુઆરીથી આ કથા પ્રારંભ થશે કથા સવારે ૯ થી ૧૧ અને બપોરે ૩ થી ૫ કલાક યોજાશે.રામધન આશ્રમ ખાતે આયોજિત દેવી ભાગવત કથામાં બાળ વિદુષી રત્નેશ્વરી દેવી (રતનબેન) ગુરુશ્રી ભાવેશ્વરી માતાજી કથાના વક્તા તરીકે કથાનું રસપાન કરાવશે.આ દેવી ભાગવત કથાનો લાભ લેવા જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ મહેન્દ્રનગરના ભક્તો, તેમજ આશ્રમના સેવક સમુદાય દ્વારા જાહેર જનતાને  નિમંત્રણ પાઠવ્યું છે.
 
 
 





Latest News