મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક લિંબાળા ધાર પાસે ભરડીયાની ઓરડીમાં વૃદ્ધે દીકરીના લગ્નની ચિંતામાં કર્યો આપઘાત


SHARE











વાંકાનેર નજીક લિંબાળા ધાર પાસે ભરડીયાની ઓરડીમાં વૃદ્ધે દીકરીના લગ્નની ચિંતામાં કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાના લિંબાળા ધાર પાસે આવેલ સ્ટોનના ભરડીયાની ઓરડીમાં રહેતા વૃદ્ધે તેની દીકરીની સગાઈ થતી ન હોવાથી ટેન્શનમાં આવી ગયા હતા અને તેને પોતાની ઓરડીની અંદર ળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવવાની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર નજીક આવેલ લિંબાળા ધાર પાસે ભારત સ્ટોન ક્રશર નામના ભડીયાની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા હસમુખભાઈ ઉર્ફે હરિભાઈ મકવાણાએ ઓરડીમાં લોખંડની એંગલ સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના દીકરા અશ્વિનભાઈ હસમુખભાઈ મકવાણાએ વાંકાનેર સિટી પોલીસે જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે હસમુખભાઈ મકવાણાની દીકરીની સગાઈ થતી ન હોવાથી તેઓ ટેન્શનમાં આવી ગયા હતા અને તેઓએ પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે






Latest News