મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ખેડૂતો માટે મધૂરમ ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન


SHARE











મોરબી જિલ્લાના ખેડૂતો માટે મધૂરમ ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન

મોરબીમાં આગામી તા. ૨૨/૧ ને રવિવારના રોજ રમણ મહર્ષિ આશ્રમ ગૌશાળા લક્ષ્મીનગર મોરબી ખાતે પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા ઉત્સાહી ખેડૂતો માટે એક દિવસિય શિબિરનું આયોજન કરેલ છે. 

મોરબીમાં મધૂરમ ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતી માટે નિશુલ્ક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક ખેતી, ગોપાલન, ઔષધીય વનસ્પતિ જેવા વિષયનું માર્ગદર્શન આપવામાં આવશે ૧૫૦ ગીર ગાયોની સફળ ગૌશાળાની મુલાકાત તથા વર્મીકંમ્પોસ્ટ માટે ડેમોસ્ટ્રેશન રાખેલ છે. તથા સજીવ ખેતી કરતાં સફળ ખેડૂતો પોતાના  અનુભવ જણાવશે. અને દૂધ ગોળના સફળ પ્રયોગના પ્રચારક ગૌપ્રેમી ભરતભાઇ પરસાણા, કિસાન ગૌશાળા રાજકોટના ચંદ્રેશભાઇ ખેડૂતોને ખાસ  માર્ગદર્શન આપશે. સાથે સાથે કિસાન સંઘ પ્રમુખ મોરબી, આત્મા પ્રોજેક્ટ અધિકારી મોરબી, હરડે પ્રચાર કેન્દ્ર મોરબી પણ આ શિબિરમાં ખેડૂતોને જુદા જુદા વિષય પર માર્ગદર્શન પુરુ પાડશે. આ શિબિરનો સમય સવારે ૯.૦૦ થી ૧.૩૦ સુધી રહેશે. અને ખેડૂતો માટે બપોરે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેથી કરીને આ શિબિરમાં જોડાવા ઇચ્છુક ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. અને રજીસ્ટ્રેશન પ્રાણજીવન કાલરિયા (૯૪૨૬૨ ૩૨૪૦૦) જીતુભાઇ ઠક્કર (૯૨૨૮૫ ૮૩૭૪૩) અને ડૉ. મધુસુદન પાઠક (૯૯૯૮૨ ૬૬૧૬૩) ના મોબાઈલ ઉપર સંપર્ક કરીને કરાવવાનું રહેશે.






Latest News