મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ધંધા માટે વ્યાજે રૂપિયા લેનારા વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપનારા ત્રણ વ્યાજખોરની ધરપકડ


SHARE











મોરબીમાં ધંધા માટે વ્યાજે રૂપિયા લેનારા વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપનારા ત્રણ વ્યાજખોરની ધરપકડ

મોરબીના નીતિન પાર્કમાં રુદ્રપ્રયાગ એપાર્ટમેન્ટમાં રહેતા યુવાને પોતાના ચાની ભૂકીના ધંધા માટે થઈને વ્યાજે રૂપિયા લીધા હતા અને વ્યાજખોરોને વ્યાજની રકમ મોટાભાગની ચૂકવાઇ ગઇ હોવા છતાં પણ વ્યાજનું વ્યાજ ગણીને તેની પાસેથી વ્યાજ અને મુડીની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી જેથી યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ રુદ્રપ્રયાગ એપાર્ટમેન્ટના બ્લોક નં-૬૦૩ માં રહેતા મિલનભાઈ જયંતીભાઈ અગોલા જાતે પટેલ (૩૦) ચાની ભૂકીનો વેપાર કરતા હોય ધંધા માટે રૂપિયાની જરૂરિયાત હતી જેથી તેને જુદાજુદા ત્રણ વ્યક્તિ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને જેટલા રૂપિયા લીધા હતા તેની સામે મોટાભાગની રકમ આપી દેવામાં આવી હતી તો પણ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી જેથી કરીએ આ યુવાને પ્રવીણભાઈ, દેવશીભાઈ ખાનપર વાળા અને સુરેશભાઈ ખાખરાળા વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતુ કે, ત્રણેય શખ્સો અવારનવાર તેના ઘરે આવીને તેને તેમજ તેના પત્નીને જેમ ફાવે તેમ ગાળો આપીને રૂપિયા નહીં આપે તો તેને જાનથી મારી નાખશે તેવી ધમકી આપતા હતા અને ફોન ઉપર પણ ધમકીઓ આપતા હતા જેથી યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે પ્રવીણભાઈ નવઘણભાઈ ગરચર (૨૯) અને મનીષ ઉર્ફે દેવશીભાઈ જીવણભાઈ રગિયા (૨૯) રહે. બંને ખાનપર મોરબી તેમજ જગદીશભાઇ લક્ષ્મણભાઈ સાવસેટા (૩૮) રહે. ખાખરાળા મોરબી વાળાની ધરપકડ કરેલ છે






Latest News