મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીમાં વ્રજ સોસાયટીના લોકોએ એપાર્ટમેન્ટનો રસ્તો બંધ કરી દેતા વિવાદ: કલેકટરને આવેદનપત્ર આપ્યું


SHARE











મોરબીમાં વ્રજ સોસાયટીના લોકોએ એપાર્ટમેન્ટનો રસ્તો બંધ કરી દેતા વિવાદ: કલેકટરને આવેદનપત્ર આપ્યું

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વ્રજ સોસાયટીના લોકોએ વ્રજ વાટિકા એપાર્ટમેન્ટનો રસ્તો બંધ કરી દીધો છે જેથી કરીને હાલમાં સોસાયટીના લોકોએ અને એપાર્ટમેન્ટના લોકો વચ્ચે વિવાદ ઊભો થયો છે અને હાલમાં એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને વર્ષોથી જે રસ્તો હતો તે રસ્તાને ખુલ્લો કરવાની માંગ કરી છે

મોરબી રવાપર રોડ ઉપર આવેલ વ્રજ સોસાયટીમાં વર્ષોથી વ્રજ વાટિકા એપાટમેન્ટ આવેલ છે અને ત્યાં ફ્લેટમાં રહેતા લોકો માટે જે રસ્તો વર્ષોથી ખુલ્લો હતો તેને હાલમાં સોસાયટીના લોકોએ બંધ કરી દીધેલ છે જેથી કરીને આ મુદે વિવાદ થયો છે અને વ્રજ વાટિકા એપાટમેન્ટના ફ્લેટ ધારકોએ વ્રજ વાટિકા સોસાયટીના લોકો વિરુદ્ધ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે અને હાલમાં જે રસ્તો બંધ કરવામાં આવ્યો છે તેને સત્વરે ખુલ્લો કરવામાં આવે તેવી માંગ કરી છે અને અત્રે ઉલેખનીય છે કે, વ્રજ વાટિકા એપાટમેન્ટમાં છેલ્લા ૨૨ વર્ષથી ૭૦ જેટલા પરિવારો વસવાટ કરી રહ્યા છે અને તેઓ જે રસ્તાનો ઉપયોગ કરતાં હતા તે રસ્તાને દિવાલ ચણીને બંધ કરવામાં આવેલ છે જેથી કરીને ઇમર્જન્સી સમયે ઘણી મુશ્કેલી પડે તેમ છે જેથી કરીને આ વિવાદનો યોગ્ય નિકાલ કરવા માટે વ્રજ વાટિકા એપાર્ટમેન્ટના લોકોએ આવેદનપત્ર આપીને માંગ કરી છે






Latest News