ટંકારાના સરાયા ગામે આડા સબંધની શંકાએ પતિએ કરી નાખી પત્નીની હત્યા
SHARE
ટંકારાના સરાયા ગામે આડા સબંધની શંકાએ પતિએ કરી નાખી પત્નીની હત્યા
ટંકારાના સરાયા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનને તેની પત્નીના આડા સંબંધ હોવાની શંકા વહેમ હોય તે બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો અને ત્યારબાદ યુવાને તેના પત્નીને માથા અને મોઢાના ભાગે ઇટના ઘા મારીને હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ યુવાને ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા આ બનાવ સંદર્ભે હાલમાં વાડીના માલિકની ફરિયાદ લઈને પત્નીની હત્યા કરનારા પતિ સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી કરેલ છે.
ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા અનિલભાઈ જસમતભાઈ ઢેઢી (42)એ હાલમાં તેની વાડીએ રહીને ખેતીમાં મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના રહેવાસી લક્ષ્મણભાઈ રેવસિંગ કતીજા સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે લક્ષ્મણભાઈ તેઓના પત્ની રુકમાબેન (43) સાથે ફરિયાદીની વાડીએ રહીને ત્યાં ખેતીમાં મજૂરી કામ કરતા હતા દરમિયાન લક્ષ્મણભાઈને તેના પત્નીના આડા સંબંધ હોવાની શંકા વહેમ હતો અને તે બાબતે બંને વચ્ચે બોલોચાલી ઝઘડો થયો હતો ત્યારે લક્ષ્મણભાઈએ રુકમાબેનને માથા અને મોઢાના ભાગે ઈંટ જેવા બોથડ પદાર્થના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ આરોપી લક્ષ્મણભાઈએ ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં વાડીના માલિકની ફરિયાદ લઈને પોલીસે મહિલાની હત્યા કરનાર તેના પતિ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે