મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ ધામ ખાતે ધારાસભ્યોના સન્માનનો કાર્યક્રમ હાલ મોકૂફ


SHARE







મોરબીમાં પરશુરામ ધામ ખાતે ધારાસભ્યોના સન્માનનો કાર્યક્રમ હાલ મોકૂફ

મોરબીના પરશુરામ ધામ ખાતે મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ અને તા ૧/૧ ના રોજ સાંજે આ કાર્યક્ર્મ રખવામાં આવ્યો હતો જો કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થતાં આ કાર્યક્ર્મને હાલમાં મોકૂફ રાખવામા આવેલ છે અને આગમી સમયમાં આ કાર્યક્ર્મ યોજાશે તેવું ટ્રસ્ટીઓએ જણાવ્યુ છે

મોરબી પરશુરામ ધામના ટ્રસ્ટી ભુપતભાઈ પંડ્યાએ જણાવ્યુ છે કે, મોરબી જિલ્લાની ચારેય બેઠક ઉપર ભાજપના ધારાસભ્યો ચૂંટાયેલ છે અને તે ચારેય ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરાનો સમાવેશ થાય છે અને તેના સન્માનનો કાર્યક્રમ રવિવાર તા. ૧/૧ ના રોજ સાંજે પાંચ વાગ્યે પરશુરામ ધામ મોરબી ખાતે રાખેલ હતું જો કે, શુક્રવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થયું છે જેથી કરીને આ કાર્યક્ર્મ્ને એચએએલ પૂરતો મોકૂફ રાખવામા આવેલ છે






Latest News