મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીના ઉચી માંડલ પાસે નર્મદાની કેનાલમાં ન્હાવા પડેલા દસ વર્ષના બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE











મોરબીના ઉચી માંડલ પાસે નર્મદાની કેનાલમાં ન્હાવા પડેલા દસ વર્ષના બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત

 મોરબી નજીકના ઉચી માંડલ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ન્હાવા માટે પડેલ દસ વર્ષના બાળકનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત નિપજયું હતું જેથી તેના પિતા બાળકના મૃતદેહને લઇને સિવિલે આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી . 

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી નજીકના ઉંચી માંડલ ગામ પાસે ઓરાબોરા સિરામિકની અંદર રહેતા અને મજૂરી કામ કરતા મંગીલાલ વ્યાસજીનો દસ વર્ષનો દીકરો રાજપાલ નર્મદાની કેનાલમાં ન્હાવા માટે ગયો હતો ત્યારે નર્મદાની કેનાલમાં વહેતા પાણીની અંદર ડૂબી જવાથી રાજપાલનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને લઈને તેના પિતા મંગીલાલ વ્યાસજી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.






Latest News