મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ ગામે એક સાથે ૯ મકાનોમાં તસ્કરોના ધામા


SHARE











માળીયા (મી)ના સરવડ ગામે એક સાથે ૯ મકાનોમાં તસ્કરોના ધામા

માળીયા મિયાણા તાલુકાનાં સરવડ ગામે તસ્કરોએ ધામા નાખ્યા હતા અને એકી સાથે એક કે બે નહીં પરંતુ નવ જેટલા બંધ મકાનોના તાળાં તોડવામાં આવેલ છે જેની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી જો કે હજુ સુધી આ અંગેની કોઈ પોલીસ ફરિયાદ નોંધાયેલ નથી

માળીયા મિયાણાના સરવડ ગામે બંધ મકાનોના તાળા તસ્કરો દ્વારા તોડવામાં આવેલ છે અને એકી સાથે નવ મકાનમાં તાળાં તોડવામાં આવ્યા છે જો કે, તસ્કરોએ જે મકાનોને નિશાના બનાવેલ છે તે તમામ મકાન માલિકો હાલમાં મોરબીમાં રહે છે જેથી કરીને ચોરી કરવા માટે આવેલા શખ્સો શું ચોરી કરી ગયા છે અને કેટલાનો મુદામાલ ગયો છે તેની કોઈ માહિતી સામે આવી નથી જો કે, સરવડ ગામે એકીસાથે મકાનોના તાળાં તોડવામાં આવ્યા છે તેની માળીયા મિયાણાના પીએસઆઇને જાણ કરવામાં આવી હતી જેથી કરીને અધિકારી તેના સ્ટાફ સાથે ત્યાં દોડી આવ્યા હતા જો કે, આ સમાચાર લખાઈ  છે ત્યાં સુધી આ અંગેની કોઈ પોલીસ ફરિયાદ ચોપડે નોંધાયેલ નથી






Latest News