મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે લૂંટ..? : યુવાન ઉપર ત્રણ અજાણ્યા શખ્સોનો પથ્થર વડે હુમલો


SHARE











મોરબીના બંધુનગર પાસે લૂંટ..? : યુવાન ઉપર ત્રણ અજાણ્યા શખ્સોનો પથ્થર વડે હુમલો

મોરબી પંથકમાં છેલ્લા દિવસોમાં ચોરી અને લૂંટના બનાવોએ માઝા મૂકી છે.થોડા દિવસો પહેલા સરતાનપર રોડ ઉપર કારખાનાની પાછળ જાજરૂ માટે ગયેલ યુવાનને પથ્થર વડે માર મારી રોકડ-મોબાઈલ લૂંટી લેવામાં આવ્યા હતા તે બનાવની સાહી સુકાઈ નથી ત્યાં મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જ બંધુનગર પાસે યુવાનને આંતરીને ત્રણ અજાણ્યા ઈસમો દ્વારા માથામાં પથ્થરના ઘા ઝીંકીને લૂંટના ઇરાદે હુમલો કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી રહી છે. 

લુંટના ઇરાદે મારામારીના બનાવની મળતી વિગતો મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર બંધુનગર નજીક આવેલ એડોર સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો સત્યજીત સીન્કુ નામનો ૨૧ વર્ષીય મજૂર પરપ્રાંતિય મજુર તા.૨૬ ની મોડીરાત્રીના બે વાગ્યાના અરસામાં બંધુનગર પાસે આવેલ એડોર સીરામીક પાસેથી જતો હતો ત્યારે તેની પાસે ત્રણ અજાણ્યા ઈસમો આવ્યા હતા અને સત્યજીતને માથાના ભાગે પથ્થરના ઘા ઝીંકીને લુટના ઇરાદે તેના ઉપર હુમલો કર્યો હતો અને સત્યજીત પાસે રહેલ રૂા.૮૦૦ જેવી રોકડ લૂંટીને ત્રણ અજાણ્યા ઇસમો ભાગી છુટ્યા હતા.બાદમાં ઇજાગ્રસ્ત થયેલા સત્યજીતને રાહુલ રાજપુત નામના યુવાને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે ખસેડ્યો હતો.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદીયા દ્વારા આ બનાલ અંગે આગળની તપાસ માટે વાંકાનેર તાલુકા પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે અગાઉ સરતાનપર રોડ ઉપર થયેલ લૂંટના બનાવમાં પણ ફરિયાદ નોંધાઇ નથી આ બનાવમાં ફરિયાદ નોંધાય છે કે કેમ તે હવે જોવું રહ્યું.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે આવેલ અનુપમ સોસાયટીમાં રહેતા રોટનલાલ અશોકલાલ શર્મા નામનો ૩૨ વર્ષનો યુવાન વાંકાનેર તરફથી મોરબી બાજુ આવતો હતો ત્યારે રસ્તામાં બેલ સીરામીક રફાળેશ્વર નજીક તેના બાઇક સાથે ગાય અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા થતાં રોટનલાલ શર્માને સારવારમાં ખસેડાયો હતો. જ્યારે મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા રાજેશ બાબુ દેગામા નામના ૩૮ વર્ષીય યુવાનને ગામમાં કોઈના દ્વારા માર મારવામાં આવેલો હોય તેને સારવાર માટે ખસેડાયો હતો જેથી તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા આ અંગે નોંધ કરી આગળની તજવીજ ચલાવવામાં આવી રહી છે






Latest News