મોરબી નજીક પીપળી ગામેથી સગીરાનું અપહરણ, પોલીસ દ્વારા શોધખોળ શરૂ ટંકારા પાસે બંધ ટ્રેકટર પાછળ રીક્ષા અથડાઈ : લગ્નની ખરીદી કરવા નીકળેલી 18 વર્ષીય યુવતીનું મોત વાંકાનેરમાં ભાગવત સપ્તાહ, સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ અને યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાશે મોરબીના વીસીપારમાં કચરના ઢગલામાં લાગી આગ મોરબીમાં વિશ્વ શાંતિ માટે જૈન ઇનટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇજેશન સંસ્થા દ્વારા નવકાર મંત્રના જાપ કરાયા મોરબીમાં શ્રી લાલાબાપાની 85 મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય મહાઆરતી-પ્રસાદ યોજાયો મોતને મ્હાત આપી જીંદગીની જીત: વાંકાનેર 108ની ટીમે વૃદ્ધને તાત્કાલિક સારવાર આપીને આપ્યું નવજીવન મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં કુલ 255 બેઠક માટે ચાર દિવસમાં માત્ર 65 ફોર્મ ભરાયા: બે દિવસમાં બઘડાસટી
Breaking news
Morbi Today

માળીયા મીંયાણાના વવાણીયા પ્રા.શાળામાં આનંદ મેળાનું આયોજન


SHARE











મોરબી : માળીયા મીંયાણાના વવાણીયા પ્રા.શાળામાં આનંદ મેળાનું આયોજન

માળિયા મિયાણા તાલુકાની શ્રી વવાણીયા કન્યા શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલ.જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ વાનગીઓ જેવી કે ભેળ, પાણીપુરી, ભૂંગળા બટાકા, બ્રેડ બટાકા, ચણા મસાલા, મસાલા દાળ, વેજીટેબલ સેન્ડવિચ , મસાલા છાસ અને જનરલ સ્ટોર જેવા અલગ અલગ સ્ટોલ ઉભા કરી વેચાણ કરવામાં આવ્યું અને તમામ સ્ટોલનું સંચાલન શિક્ષકોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતુ.માળિયા તાલુકાના બીઆરસી કો-ઓર્ડીનેટર મહેન્દ્રભાઈ રાઠોડ તથા મોરબી જિલ્લા એસટીપી કો-ઓર્ડીનેટર ડાભીએ આ આનંદ મેળાની મુલાકાત લઈ બાળાઓનો ઉત્સાહ વધારેલ તથા કાર્યક્રમના આયોજન બદલ સમગ્ર શાળા પરિવારને બિરદાવેલ.તે ઉપરાંત સ્થાનિક લોકો તથા શ્રી વવાણીયા કુમાર શાળાનાં બાળકો તથા શ્રી લક્ષ્મીવાસ પ્રાથમિક શાળાના બાળકોએ તથા શિક્ષકોએ આનંદ મેળાની મુલાકાત લઈ વિવિધ વાનગીઓનો સ્વાદ માણી બાળાઓનો ઉત્સાહ વધાર્યો હતો.આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીનીઓમાં વ્યવહારુ કુશળતા, પ્રમાણિકતા, આત્મનિર્ભરતા, નાણાકીય કુશળતા અને કુકિંગ કૌશલ્યનો વિકાસ થાય તેવો શાળા પરિવારનો ઉદ્દેશ્ય હતો જે ઘણે ખરે અંશે સિદ્ધ થયો હતો.સુંદર આયોજન બદલ શાળાના આચાર્ય ઇશ્વરભાઇ સાવરીયાએ સ્ટાફને અભીનંદન પાઠવ્યા હતા.






Latest News