મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના બાવને બાવન સભ્યો ભવિષ્યમાં ચુંટણી ન લડી શકે તેવી સજા કરો: કોંગ્રેસ


SHARE







મોરબી પાલિકાના બાવને બાવન સભ્યો ભવિષ્યમાં ચુંટણી ન લડી શકે તેવી સજા કરો: કોંગ્રેસ

મોરબી ભાજપ શાસિત પાલિકા એ-ગ્રેડની માન્યતા ધરાવે છે. ત્યારે મોરબી પાલિકામાં ચુંટાયેલા ડી-ગ્રેડની વિચાર સરણી ધરાવતા બિન વહીવટી અનુભવી લોકો શાસન ધુરા સાંભળી હતી જેથી કરીને મોરબીની પ્રજા પુછવા માગે છે કે, પ્રજાહિતમાં નવ-નવ મહિના સુધી જનરલ બોર્ડ પાલિકામાં શા માટે બોલાવ્યું નથી ? અત્યાર સુધી સહી જુંબેસ કરનારા ૪૯ કાઉન્સીલરો આ બાબતે અજાણ હતા ? કે ભ્રષ્ટાચારના ભોરિંગના ભરડામાં સાંકળ બનીને બેઠા હતા ?

મોરબી ઝુલતો પુલ તા ૩૦/૧૦ ના રોજ તુટવાની દુર્ઘટના બની હતી જેમાં ૧૩૫ લોકોના મોત થયા છે ત્યારે અનેક ઘરના મોવડીઓ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ છે. અને ઘણા બાળકો, પરિવારો નિરાધાર થઈ ગયેલા છે. ગુજરાત સરકાર કે મોરબી પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ વિરૂદ્ધ હજુ સુધી કોઈપણ જાતની કાર્યવાહી કરેલ નથી ત્યારે હાઇકોર્ટ પ્રજાના હિતમાં સુઓમોટો દાખલ કરી જવાબદાર ગુજરાત સરકાર અને મોરબી નગરપાલિકા સામે કેસ ચલાવી રહેલ છે. અને કોર્ટની મુદતમાં સરકારને ગંભીર ફટકાર લગાવતા કહેલ કે બેદરકારી છે માટે રાજ્ય સરકાર નગરપાલિકાને સુપરસીટ કરવા માગે છે કે શું ? ત્યારે રાજ્ય સરકારના વકીલે કોર્ટમાં જણાવેલ કે રાજ્ય સરકાર મોરબી નગરપાલિકાને સુપરસીટ કરવાની સૈધાન્તીક મંજુરી આપી ચુકી છે

જો કે, હવે પાલિકાના ૪૯ સદસ્યો મોરબી-માળીયાના ધારાસભ્યને સાથે લઈ સુપરસીટ ન કરવા માટે મુખ્યમંત્રીને રાજુઆત કરનાર છે ત્યારે સરકારને મોરબી ઝુલતા પુલની ઘટનામાં મૃત્યુ પામેલા લોકો અને તેના પરિવારને ખરા અર્થમાં ન્યાય અપાવવાની ઈચ્છા શક્તિ હોય તો મોરબી પાલિકાને તાત્કાલિક અસરથી સુપરસીટ કરી ચુંટાયેલા સદસ્યોની સામે નામ જોગ એફ.આઈ.આર નોંધી તાત્કાલિક ધરપકડ કરી ભવિષ્યમાં કોઈ ચુંટણીઓ લડી ના શકે તેવી બાવને બાવન સદસ્યોને સજા કરવી જોઈએ તો જ ભવિષ્યની અંદર આવા બનાવો બનતા અટકશે તેવું મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ રાજુભાઇ કાવર, જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરુ અને માજી સભ્ય  કે.પી.ભાગ્યાએ જણાવ્યુ છે

વધુમાં તેઓએ કહ્યું છે કે, સતામાં ચીપકી રહેવા માટે ભાજપ શાસિત પાલિકાના સદસ્યો સુપરસીટ ન કરવા માટે ભેગા થઈ સહી ઝુંબેસ કરે છે. ત્યારે આ સદસ્યોમાં જરાપણ માનવતા હોય તો જે ગુનેગારો છે. તેની સામે માનવ વધનો ગુનો નોંધવા માટે સરક્યુલર ઠરાવ કેમ કરાવતા નથી? તેમજ નવ મહિના સુધી જનરલ બોર્ડ ન મળે તો એ બોર્ડ બોલાવવા માટે ચુંટાયેલા સદસ્યો માગણી શા માટે કરતાં નથી ? તો આવી બધી ગંભીર બેદરકારીઓથી ચાલતી પાલિકા ઝુલતો પુલનો કોન્ટ્રાક્ટ પુરો થઈ ગયો હોવા છતા કોન્ટ્રાક્ટર પાસે ઝુલતો પુલ શા માટે રહેવા દીધો ? તે શું બાવન કાઉન્સિલરો પણ નથી જાણતા ? જો ભાજપ શાસિત નગરપાલિકાના સદસ્યઓમાં જરાપણ લાજ, શરમ, માનવતા કે પ્રજાહિત હૈયેવસેલું હોય તો માર્ચ-૨૦૨૨ માં બજેટ બેઠક બોલાવી જે બજેટ મંજુર કરેલ છે તે બજેટને પછીના બોર્ડમાં બહાલી મળેલ ન હોય તો આ ખર્ચાઓ બેફામ કરેલ છે તેની તપાસ માટે વિજીલીયસની કે સ્પેશિયલ ઓડિટની તપાસ માંગશો ખરા ? કે ખાલી સુપરસીટ ન થાય તે માટે જ પદ બચાવવા ધારાસભ્યને સાથે લઇ સહી ઝુંબેશો કરે છે






Latest News