મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે ધક્કાવાળી મેલડી મંદિર પાસે બે યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલો: એકને છરીના ઘા ઝીકયા


SHARE











મોરબીના નવલખી રોડે ધક્કાવાળી મેલડી મંદિર પાસે બે યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલો: એકને છરીના ઘા ઝીકયા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી મંદિર પાસે રેલવેના પ્લેટફોર્મની બાજુમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એક યુવાનને પેટ, બેઠક અને વાસાના ભાગે છરીના ઘ ઝીકવામાં આવેલ છે અને બીજા યુવાનને લાકડી વડે માર મારવામાં આવ્યો છે જેથી ઈજા પામેલા બંને યુવાનને મોરબીમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની રાજકોટ રેલ્વે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ભોગ બનેલા યુવાનની ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવે ગણેશનગરમાં રહેતા પપ્પીભાઈ નાગજીભાઈ વિકાણી (૨૫) અને ઉમિયા ચોક પાસે આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા જીતેશભાઈ કાંતિભાઈ કાંજીયા (૨૦) ને માર મારવામાં આવ્યો હતો અને ત્યારે પપ્પીભાઈને પેટ, બેઠક અને વાસાના ભાગે છરીના ઘા ઝીકિ દેવામાં આવેલ છે માટે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે વધુમાં જાણવા મળતી વિગતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર પાસે રાત્રે નવ વાગ્યાના અરસામાં પપ્પીભાઈ નાગજીભાઈ વિકાણી અને જીતેશભાઈ કાંતિભાઈ કાંજીયા હતા ત્યારે રેલવેના પ્લેટફોર્મની બાજુમાં ભદુ ઉર્ફે અર્જુન, પ્યારું તથા તેની સાથે આવેલ વ્યક્તિએ કોઈ કારણોસર તે બંને સાથે ઝઘડો કર્યો હતો અને ત્યારે પપ્પીભાઈને પેટ, બેઠક અને વાસાના ભાગે છરીના ઘ ઝીકવામાં આવેલ છે અને જીતેશભાઈને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને તે બંને વ્યક્તિઓને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે અને આ બનાવની રેલવે પોલીસમાં નોંધ કરીને પોલીસે ફરિયાદ લેવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા તોડ સમયથી મંદિરની પાસે આવારા તત્વો સતત અડિંગો જમાવીને બેસે છે અને અવાર નવાર નાના મોટી માથાકૂટ થતી હોય છે ત્યારે આ મુદે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીની લીલાપર ચોકડી પાસે અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ગંગારામ બીસ્તા (ઉંમર ૩૪) અને રમેશભાઈ વીરબહાદુર થાપા (ઉંમર ૨૪) નામના બે યુવાનોને ઇજાઓ થઈ હતી જેથી તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે ગંગારામ બીસ્તા અને રમેશ વીરબહાદુર થાપા હાલમાં રવાપર રોડ ઉપર ઉમા રવિ એપાર્ટમેન્ટ ખાતે હાલમાં રહે છે અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News