મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીમાં રોટરી ક્લબ દ્વારા રવાપર ગામે ફ્રી નિદાન કેમ્પ યોજાશે


SHARE











મોરબીમાં રોટરી ક્લબ દ્વારા રવાપર ગામે ફ્રી નિદાન કેમ્પ યોજાશે

રોટરી ક્લબ ઓફ મોરબી અને હેલ્થ પ્લસ ફિઝિયોથેરાપી એન્ડ રીહેબ સેન્ટર દ્વારા આગામી તા. ૧૮ ને રવિવારે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ કેમ્પ રવાપર ગામ ખાતે બાલકેશ્વર મહાદેવ મંદિર સામે ઉમા હોલમાં રાખવામા આવ્યો છે

આ કેમ્પ સવારે ૯ થી ૧ સુધી ચાલશે અને તેમાં નિઃશુલ્ક નિદાન કરી આપવામાં આવશે આ કેમ્પમાં ડો. પ્રતીક દેસાઈ, ડો. મોસમી ભટાસણા, ડો. ટ્વિંકલ દેત્રોજા, ડો. યોગીતા જેતપરિયા, ડો. દેવાંશી વસીયાણી, ડો વિશ્વાસ સદાતીયા અને ડો ધારા ચારોલા સેવા આપશે. જેથી કરીને આ ફ્રી નિદાન કેમ્પનો લાભ લેવા માટે દર્દીઓએ રજિસ્ટ્રેશન વહેલા કરાવવા આયોજકોએ જણાવ્યુ છે અને રજિસ્ટ્રેશન ૯૮૯૮૦ ૭૧૪૭૫ તેમજ ૯૦૧૬૫૫૮૯૭૭ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે. અને કેમ્પમાં આવેલા દર્દીઓને સારવારમાં ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે અને કેમ્પમાં દર્દીઓને તેની જૂની ફાઇલ અને રિપોર્ટ સાથે રાખવા માટે ડો. પ્રતીક દેસાઈએ જણાવ્યુ છે

અનોખી પહેલ

હાલમાં ઠંડી વધી રહી છે ત્યારે જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાની ભાગના સાથે રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા લોકો પાસેથી જુના ગરમ કપડાં એકત્રિત કરવામાં આવશે અને રોટરી ક્લબ દ્વારા નિલકંઠ વિદ્યાલય પાસે, રવાપર રોડ, મોરબી ખાતે તા ૧૬ અને ૧૭ ના રોજ લોકો પાસેથી સવારે ૧૦ થી ૧ અને બપોરે ૩ થી ૬ વાગ્યા સુધી જુના ગરમ કપડાં એકત્રિત કરવામાં આવશે જેમાં જુના સ્વેટર, શાલ, જેકેટ, ટોપી, મોજા, મફલર વગેરે આપી શકશે અને આ કપડાને જરૂરિયાતમંદ લોકો સુધી પહોચડવામાં આવશે અને વધુ માહિતી માટે અશોકભાઈ મહેતા (૯૯૭૮૪ ૪૨૮૫૧) નો સંપર્ક કરવા જણાવાયું છે.

આયુષ્યમાન કાર્ડનો કેમ્પ

મોરબીમાં પ્રાગટ્ય કલીનિક દ્વારા આગામી ૧૮ ડિસેમ્બરબ રોજ આયુષ્યમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં વિનામૂલ્યે મોરબીની જનતાને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે. અને આ કેમ્પ તા ૧૮/૧૨ ને રવિવારે બપોરના ૩થી ૭ વાગ્યા દરમ્યાન યોજાશે અને વીસીપરામાં આવેલ આંબેડકર કોલોનીમાં ડો. પરેશ એમ. પારીઆના પ્રાગટ્ય કલીનિક ખાતે આયુષ્યમાન કાર્ડ કેમ્પ રાખવામા આવેલ છે અને તેના માટે આવકનો દાખલો, રેશન કાર્ડ અને આધાર કાર્ડ સહિતના જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખવા જણાવ્યુ છે






Latest News