મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે સીરામીક કારખાનાના કન્વેનેટર બેલ્ટમાં આવી જવાથી યુવાનનું મોત


SHARE











વાંકાનેરના માટેલ રોડે સીરામીક કારખાનાના કન્વેનેટર બેલ્ટમાં આવી જવાથી યુવાનનું મોત

વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં કન્વેનેટર બેલ્ટમાં આવી જવાના કારણે યુવાનને ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાની હદમાં માટેલ રોડ ઉપર આવેલ આઈકા સીરામીકમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા મનીષભાઈ કાલિયાભાઈ ગરવાલ (ઉંમર ૨૧) કારખાનામાં કામગીરી કરી રહ્યા હતા ત્યારે કન્વેરેટર બેલ્ટમાં આવી જવાના કારણે મનીષભાઈને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મોહનભાઈ ભુરીયા વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિવિલ હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

ઉંદર મારવાની દવા પી જતા સારવારમાં

મોરબીના દરબારગઢ વિસ્તારમાં રહેતો મિહિર શૈલેષભાઈ રામાનુજ નામનો ૨૨ વર્ષનો યુવાન કોઈ કારણસર તેના ઘેર ઉંદર મારવાની દવા પી ગયો હતો જેથી કરીને તેને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો બનાવની જાણ થવાથી હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના પી.બી.ઝાલા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના સનાળા રોડ સરદારબાગ પાસે ફૂટપાથ ઉપર રહેતા સુરેશભાઈ પિત્રોડા નામના ૭૭ વર્ષના વૃદ્ધ રસ્તા ઉપર પડી જતા તેઓને ૧૦૮ વડે સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા જેથી પોલીસ દ્વારા બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.





Latest News