વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી સિવિલમાં દર્દીઓને સારી સારવાર માટે સામાજીક કાર્યકરોની કલેક્ટરને રજૂઆત


SHARE











મોરબી સિવિલમાં દર્દીઓને સારી સારવાર માટે સામાજીક કાર્યકરોની કલેક્ટરને રજૂઆત

મોરબીની સિવિલમાં પૂરતો સ્ટાફ ન હોવાથી દર્દીઓને સારી સારવાર આપવામાં આવતી નથી અને તમામ તબીબોની જગ્યા ભરાઈ ગઈ છે તો પણ દર્દીઓને રાજકોટ રીફર કરી દેવામાં આવેલ છે જેથી કરીને દર્દીઓને હેરાન થવું પડે છે જેથી કરીને યોગી કાર્યવાહી કરવા માટે સામાજિક કાર્યકરોએ કલેકટરને રજૂઆત કરેલ છે

મોરબી સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદમાં આવે છે ત્યારે સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, અશોક ખરચરીયા, જીગ્નેશ પંડ્યા અને મુસાભાઇ બ્લોચ દ્વારા કલેકટર અને સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ અને મેડિકલ કોલેજના ડીનને રજુઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ હોવા છતાં સામાન્ય બીમારીમાં પણ દર્દીઓને રાજકોટ રીફર કરવામાં આવી રહ્યા છે જેથી કરીને દર્દીઓને મોરબીમાં જ સારી સારવાર મળે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, મોરબી સિવિલમાં ત્રણ મહિનાથી પૂરતા તબીબો હોવા છતાં દર્દીઓને રાજકોટ મોકલી આપવામાં આવે છે જેથી તેને ચેક કરવામાં આવે અને ખાસ કરીને ૨૪ કલાક એક્સરે વિભાગ ચાલુ રહે અને ઓર્થોપેડિક તેમજ ગાયનેક વિભાગ પણ રાત્રીના સમયે ડોક્ટર રહે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે 






Latest News