મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

ટંકારામાં ઉગમણા નાકા પાસે લો પરિવારના સ્વજનના સ્મરણ અર્થે બનાવવામાં આવેલ પ્રવેશદ્વાર ધડાકાભેર તૂટી પડ્યો


SHARE







ટંકારામાં ઉગમણા નાકા પાસે લો પરિવારના સ્વજનના સ્મરણ અર્થે બનાવવામાં આવેલ પ્રવેશદ્વાર ધડાકાભેર તૂટી પડ્યો

મોરબી જિલ્લાના ટંકારામાં ઉગમણા નાકા પાસે લો પરિવારના સ્વજનના સ્મરણ અર્થે પ્રવેશદ્વાર બનાવ્યો હતો આ પ્રવેશદ્વાર ધડાકાભર બપોરે તૂટી પડ્યો હતો જોકે સદનસીબે બપોરે ટંકારાના માર્ગ ઉપર અવરજવર ઓછી હતી જેથી કોઈ જાનહાની થયેલ નથી પરંતુ જો આ ગેટ ત્યાંથી પસાર થઈ રહેલ ખાનગી સ્કુલ બસ ઉપર તૂટી પડ્યો હોત તો ગોઝારો અકસ્માત સર્જાત તેવું ગામના લોકો કહી રહ્યા છે

મોરબીમાં આવેલ ઝુલતો પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને 135 જેટલા લોકોના મોત નીપજ્યા હતા આ દુર્ઘટના ના પડઘા ન માત્ર મોરબી કે ગુજરાત પરંતુ સમગ્ર ભારત દેશની અંદર પડ્યા છે અને આ ઘટનાની સાહી હજુ તો સુકાઈ નથી અને જે લોકોએ પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા હતા તેની આંખના આંસુ સુકાયા નથી ત્યાં આજે વધુ એક દુર્ઘટના મોરબી જિલ્લાના ટંકારામાં બનતા સહેજમાં પડી છે આજે બપોરના સમયે ટંકારાના ઉગમણા નાકા પાસે હેમંતભાઈ લો ના સ્મરણાર્થે તેના દીકરા અને ભત્રીજાઓ દ્વારા જે પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો હતો તે ગેટ ધડાકાભેર તૂટી પડ્યો હતો.

જોકે સદનસીબે આ ગેટ તૂટી પડ્યો ત્યારે ત્યાં નીચેથી કોઈ નિર્દોષ વ્યક્તિ પસાર થતી ન હતી જેથી કરીને જાનહાની કે ઈજાનો બનાવ બન્યો નથી પરંતુ સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આ ગેટ તૂટી પડ્યો તેની ગણતરીની સેકન્ડો પહેલા જ ત્યાંથી બે ખાનગી સ્કૂલની બસો પસાર થઈ હતી અને જો આ ગેટ તે સ્કુલ બસ ઉપર તૂટી પડ્યો હોત તો મોરબીમાં જે રીતે ગોજારો અકસ્માત બન્યો હતો તેવો જ ગોઝારો અકસ્માત આજે ટંકારામાં બન્યો હોત અને વધુમાં લોકોના કહેવા મુજબ સાત મહિના પહેલા બનાવવામાં આવેલ ગેટ તૂટી પડ્યો છે ત્યારે અન્ય જોખમી બાંધકામોનો પણ સર્વે કરીને મોરબી જિલ્લામાં વહેલામાં વહેલી તકે જોખમી બાંધકામોને હટાવી લેવામાં આવે તેવી ટંકારા ના લોકોની માંગ છે






Latest News