હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલયે કાંતિભાઈ અમૃતિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂછયું ઓલ ઈઝ વેલ


SHARE











ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલયે કાંતિભાઈ અમૃતિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂછયું ઓલ ઈઝ વેલ

આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ૯૩ બેઠકો ઉપર મતદાન થવાનું છે ત્યારે પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અમદાવાદ કમલમ ખાતે અવાયા હતા ત્યારે ભાજપના આગેવાનોને મળ્યા હતા તેની સાથે મોરબી માળીયા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાને પણ મળ્યા હતા અને મોરબી જિલ્લાની ત્રણેય બેઠક ઉપર મતદાન પૂર્ણ થઈ ગયેલ છે જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાથના ઈસારા વડે ઓલ ઈઝ વેલ પૂછયું હતું ત્યારે કાંતિભાઈ અમૃતિયાએ પણ બે હાથ જોડીને સહુ સારા વાના થઈ જશે તેવો જવાબ આપ્યો હતો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પહેલા તબકાનું મતદાન યોજાઇ ગયું છે જેમાં મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોનો સમાવેશ થાય છે અને ત્યાર બાદ મોરબી માળીયા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા અને ધ્રાંગધ્રા હળવદ બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાને બીજા તબકાનું મતદાન જે બેઠકો ઉપર થવાનું હતું ત્યાં પ્રચાર માટે મોકવામાં આવ્યા હતા અને ગઇકાલે બીજા તબકાના મતદાન પહેલા ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ આવ્યા હતા ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા સહિત ભાજપના આગેવાનોને મળ્યા હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાંતિલાલ અમૃતિયા સામે હાથથી ઈસારા વડે ઓલ ઈઝ વેલ પૂછયું હતું ત્યારે કાંતિભાઈ અમૃતિયાએ પણ બે હાથ જોડીને સહુ સારા વાના થઈ જશે તેવો સાંકેતિક જવાબ આપ્યો હતો






Latest News