મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના પંચાસીયા ગામની હાઇસ્કુલમાં તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત નિબંઘ લેખન સ્પર્ઘા  યોજાઇ


SHARE











વાંકાનેરના પંચાસીયા ગામની હાઇસ્કુલમાં તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત નિબંઘ લેખન સ્પર્ઘા  યોજાઇ

મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ તથા તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેર અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર તીથવા ના સહયોગથી તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત નિબંઘ લેખન સ્પર્ઘા  યોજાઇ હતી.તમાકુ કંટ્રોલ સેલ મોરબી અને   પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર તીથવા દ્રારા પંચાસીયા ગામે આવેલ પંચાસીયા  હાઇસ્કુલ ખાતે માઘ્યમીક શાળામાં વ્યસનની જાગૃતી અર્થે નિબંઘ લેખન સ્પર્ઘાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. 

તમાકુ નિષેધ નિબંધ લેખન  હરીફાઈમાં ૨૦ જેટલા વીઘાર્થીએ ભાગ લીધેલ હતો.જેમાં બાળકોએ વ્યસનની શારીરિક અસરોમાનસિક અસરોઆથિક અસરો તેમજ સમાજમાં તમાકુના દુષણ અટકાવવાના પગલાઓ તથા તમાકુના કારણે થતા કેન્સરના રોગની સારવારમાં થતા ખર્ચ વીશે નીબંઘ લેખન કરવામાં આવેલ.જેમાંથી શ્રેષ્ઠ નીબંઘ લખનાર વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવેલ તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવેલ અને સાથે શાળાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તો કરાવામાં આવ્યો હતો.કાર્યક્રમના અંતે આર.બી.એસ.કે. મેડીકલ ઓફીસર ડો.રવીરાજ મકવાણા તથા તાલુકા હેલ્થ સુપરવાઇઝર  માથકીયાભાઇએ તમાકુના દૂષણ વિષે શાળાના તમામ વિદ્યાર્થીને શારીરિક અને આર્થિક નુકશાની વિશે માહિતી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા  શાળાના આચાર્યશ્રી તથા તમામ સ્ટાફ ગણપ્રાથમીક આરોગ્ય કેન્દ્ર તીથવાના સુપરવાઇઝર  સલીમભાઇટીએમપીએચએસ માથકીયાભાઈ તેમજ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર તીથવા હેઠળના પંચાસીયા સબસેન્ટરનો સ્ટાફ અને આરબીએસકે ટીંમના કર્મચારી ડો.મહેજબીન ગઢવાળાસી.એચ.ઓ. અફશાનાબેન ખોરજીયા હાજર રહ્યા હતા.






Latest News